શોધખોળ કરો
ભારતનો ચીન પર વળતો પ્રહાર, સરહદ પર વગર શાંતિએ સંબંધમાં સુધારો નહિ આવે
1/4

ચીનનું માનવું છે કે, આ વિવાદ ચીન અને ભુટાન વચ્ચેનો છે અને તેમા ભારત ત્રીજી પક્ષ તરીકે વચ્ચે પ્રવેશી રહ્યું છે. ચીને સ્પષ્ટ કહ્યું છે કે, ભારતની આમાં કોઈ ભૂમિકા નથી. ચીને 15 પેજના ફેક્ટ શીટમાં દાવો કર્યો છે કે, ડોકલામના બહાને ભારત જો આ મુદ્દા પર દખલ કરી રહ્યં છે તો તે માત્ર ચીનના સાર્વભૌમ પર જ નહીં પરંતુ ભૂટાનની આઝાદી અને સાર્વભૌમત્વને પડકાર આપી રહ્યું છે. ફેક્ટ શીટમાં જણાવ્યું છે કે, ચીન તેમની ભૂમિની રક્ષા કરવામાં સક્ષમ છે. કોઇ પણ દેશ અમારી સાર્વભૈમત્વને પડકાર નહીં આપી શકે.
2/4

ભારતે ડોકલામમા રસ્તા નિર્માણ પર પણ ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે શક્યતા દર્શાવી છે કે, અહીં રસ્તા નિર્માણથી ચીનને પૂર્વોત્તર રાજ્ય સુધી ભારતની પહોંચ તોડવાની તક મળી જશે. જમ્મુ-કાશ્મીર, અરુણાચલ પ્રદેશ સુધી ભારત અને ચીન વચ્ચે 3488 કિલોમીટર લાંબી સરહદ છે. જેમાં 220 કિલોમીટર સરહદ વિસ્તાર સિક્કિમ રાજ્યમાં છે.
Published at : 03 Aug 2017 10:52 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ગેજેટ
આઈપીએલ
આઈપીએલ






















