શોધખોળ કરો
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, 30 લિંગાયત ધર્મગુરુઓનું કૉંગ્રેસને સમર્થન
1/4

ધર્મગુરુ માતે મહાદેવીએ મીટિંગ બાદ કહ્યું કે,‘સિદ્દારમેયાએ અમારી માંગનું સમર્થન કર્યું છે. અમે તેમનું સમર્થન કરીશું. ઉત્તર કર્ણાટકમાં મહાદેવીનો ખૂબજ પ્રભાવ છે. એક અન્ય ધર્મગુરુ મુરુગરાજેન્દ્ર સ્વામીએ કહ્યું, અમે તેનું સમર્થન કરીશું, જેણે અમને સપોર્ટ કર્યો.’મુરૂગરાજેન્દ્રએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને અલગ ધર્મની માગનું સમર્થન કરવા પણ કહ્યું હતું.
2/4

લિંગાયત સમુદાય ભાજપનો પરંપરાગત વોટર રહ્યો છે. ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા પણ આ સમુદાયમાંથી આવી છે. કર્ણાટકમાં લિંગાયત સમુદાયના લોકોની સંખ્યા લગભગ 18 ટકા છે. કૉંગ્રેસ સરકાર આ દાવ રમીને ભાજપ સામે મોટી મુશ્કેલી ઊભી કરી દીધી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ માટે આ મોટો ઝટકો છે. કારણ કે હાલમાંજ તેમણે કર્ણાટકના અનેક મઠમાં જઈને લિંગાયત સમુદાયના ગુરુઓ સાથે મુલાકાત કરી હતી.
Published at : 07 Apr 2018 07:28 PM (IST)
View More























