કિરણ ઝા ઠાકુર રાજધાનીની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ દુષ્કર્મ પીડિતાઓનું કાન્સિલિંગ કરે છે. કિરણ અનુસાર, મોટાભાગની દુષ્કર્મ પીડિતાઓને એવું લાગે છે કે તેમને ગુનો કર્યો છે, સમાજ પણ આવુજ કરે છે. આવામાં તે કાન્સિલિંગના માધ્યમથી એ કોશિશ કરે છે કે પીડિતાના મનમાંથી આ ગુનાનો ભાર ઉતરી જાય અને તેમાથી બહાર આવીને તે પોતાના અને બીજાના જીવનને રોશન કરવામાં સહયોગ આપે.
2/8
કિરણના લગ્ન બાદ 1993માં દિલ્હી આવી હતી. અહીં તેને મહિલાઓની દયનીય સ્થિતિ જોઇ અને બાદમાં દક્ષિણ દિલ્હીમાં મુનારિકાથી મહિલાઓને શિક્ષિત અને ઘરેલું હિંસાથી બહાર કાઢીને સશક્ત બનાવવાનું અભિયાન ચાલુ કરી દીધું. વર્ષ 2004માં તેને કલ્પના નામથી પોતાની એક એનજીઓ શરૂ કરી દીધી, આના માધ્યમથી તે ઘરેલું હિંસા અને દુષ્કર્મ પીડિત મહિલાઓની મદદ કરવા લાગી. કિરણના કામને જોઇને દિલ્હી મહિલા આયોગે પણ તેની સમક્ષ પોતાની સાથે કામ કરવાનો પ્રસ્તાવ મુક્યો, અત્યારે તે ત્રણ સંસ્થાઓની સમિતિની સભ્ય છે.
3/8
આસારામને સજા અપાવવા માટે બિહારના દરભંગા જિલ્લાની કિરણ ઝા ઠાકુરે પીડિતાને ખુબ મદદ કરી, તેના કારણે આસારામ આજે આજીવન જેલની સજા ભોગવે છે. અહીં અમે તમને કિરણ ઝા ઠાકુર વિશે માહિતી આપી રહ્યાં છીએ જેને પીડિતાને મદદ કરી છે.
4/8
બાદમાં તે લગ્ન માટે દિલ્હી આવી અહીં પણ તેને પોતાનું આ અભિયાન ચાલુ રાખ્યું. છેલ્લા દસ વર્ષોમાં તે 400થી વધુ દુષ્કર્મ પીડિતાઓનું કાન્સિલિંગ કરી ચૂકી છે. ખાસ વાત એ છે કે આમાંથી 27 મહિલાઓ ખુદ કાન્સિલર બનીને આ કામમાં જોડાઇ ગઇ છે.
5/8
6/8
કિરણ ઝા ઠાકુર, બિહારના દરભંગા જિલ્લાની છે. તે બાળપણથી જ મહિલાઓને સશક્ત કરવાના કામમાં જોડાઇ ગઇ છે. તે પોતાના સ્કૂલના દિવસોમાં ઝારખંડની આદિવાસી મહિલાઓને શિક્ષિત કરવા અને ત્યાં સ્વચ્છતાની રીતો શીખવવામાં જોડાઇ ગઇ હતી.
7/8
8/8
નવી દિલ્હીઃ સગીર શિષ્યા સાથેના દુષ્કર્મમાં કેસમાં દોષી જાહેર થયેલા આસારામને જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, સાથે અન્ય બે સાથી આરોપીઓ શિલ્પી અને શરદચંદ્રને પણ 20-20 જેલ ભોગવવાનો આદેશ કર્યો છે. સજા સાંભળ્યા બાદ આસારામ ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યો હતો. આસારામ વિરુદ્ધના કેસમાં કોર્ટ સુધી જવા અને તેને સજા અપાવવા માટે બિહારની એક મહિલાનો રૉલ મહત્વનો છે.