શોધખોળ કરો
પૂર્વ CJI કાત્જુનું વિવાદિત નિવેદનઃ ઉરી શહીદો અને બિહાર જવાનોનું કર્યું અપમાન
1/4

એક યૂઝરે જીતેન્દ્ર પાસવાનને પ્રતિક્રિયા આપી છે કે, આ વ્યક્તિ ક્યારેક વિચિત્ર થઈ જાય છે, સેન્સ ઓફ હ્યૂમરના નામ પર સેન્સલેસ વાત કરે છે. જ્યારે સુવિક રાયે લખ્યું છે કે, તમે પાકિસ્તાન ચાલ્યા જાવ અને પાછા ક્યારે ન આવતા. તમારા જેવા લોકોની દેશને કોઈ જરૂર નથી જે શહીદો અને સૈનિકોનું સન્માન ન કરતા હોય. તમે સમાજ પર કલંક છે. જ્યારે શુભમ અગ્રવાલ લખે છે કે, પાકિસ્તાન પ્લીઝ મિસ્ટર કાત્જુને લઈ જાવ. લીઝ પર નહીં પરંતુ કાયમી માટે. તેના માટે ન તો અમે કોઈ રૂપિયા લેશું અને ન તો કોઈ શરત રાખીશું.
2/4

આ ફેસબુક પોસ્ટમાં જસ્ટિસ કાત્જુએ આગળ બિહાર અને બિહારના લોકોનું વધારે અપમાન કરતાં લખ્યું કે, પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી પણ આગરા વાર્તા દરમિયાન પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને આ ઓફર આપી હતી પરંતુ મૂર્ખ મુશર્રફે તેને નકારી દીધી હતી. હવે એક વખત ફરી આ ઓફર છે. કાત્જુએ 25 સપ્ટેમ્બરે સાંજે 6 કલાક અને 51 મિનિટે આ પોસ્ટ ફેસબુક પર પોસ્ટ કરી હતી. ત્યારે તેના પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. કાત્જુની ટીકા કરતાં અને શહીદોનું અપમાન ગણાવતા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
Published at : 27 Sep 2016 08:15 AM (IST)
View More




















