આ તાજા ઘટનાથી ત્રણ દિવસ સુધી પંજાબ વન વિભાગના બે કર્મચારીઓ પર રેત માફિયાઓએ હુમલો કર્યો હતો, જ્યારે ચાર અન્ય અધિકારીઓને મામુલી ઇજા થઇ હતી.
2/6
સુખપાલ સિંહે દિલ્હીથી ચંદીગઢ પરત ફરતી વખતે કહ્યું, 'જો ચૂંટાયેલા પ્રતિનિધિઓની આ હાલત છે જેને સુરક્ષા પણ આપવામાં આવી હોય, તો તમે સામાન્ય નાગરિકો વિશે કલ્પના કરો.' રોપડના પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં જ્યાં મારામારીની ઘટના ઘટી હતી.
3/6
તેમને કહ્યું કે, ધારાસભ્ય સુખપાલને ચંદીગઢના પીજીઆઇએમઇઆર હૉસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હુમલા દરમિયાન આપ ધારાસભ્યની પાઘડી પણ ઉછાળી દીધી અને તેમના બે બૉડીગાર્ડ સાથે પણ ઝપાઝપાં કરવામાં આવી હતી.
4/6
પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા અને આપના વરિષ્ઠ નેતા સુખપાલ સિંહ ખૈરાએ આરોપ લગાવતા કહ્યું કે, 'સંદોઆ પર ખનીજ માફિયાઓના ગુંડાઓએ સુખપાલ સિંહ પર એટેક કર્યો છે.'
5/6
ખનીજ માફિયાઓના ગુંડાઓએ ગુરુવારે રોપડથી આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અમરજીત સિંહ સંદોઆ પર જિલ્લાના નુરપુર બેદીની પાસે હુમલો કરી દીધો હતો.
6/6
નવી દિલ્હીઃ દેશમાં ખનીજ-ભૂ માફિયાઓ એટલી હદ સુધી બેખૌફ થઇ ગયા છે કે તેમની આગળ નેતા કે ઓફિસર ના બરાબર છે. તેમની આગળ જે કોઇ આવે તેને છોડતા નથી. આવી જ એક ઘટના પંજાબના રોપડમાં બની, જ્યાં ખનીજ માફિયાઓના ગુંડાઓએ એક ધારાસભ્ય પર એટેક કરી દીધો, સાથે તેની પાઘડી પણ ઉછાળી દીધી હતી.