શોધખોળ કરો

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

Plane crash in Peru: પેરુના નાઝકા શહેર નજીક પ્રવાસીઓને લઈ જતું એક નાનું વિમાન ક્રેશ થયું, જેમાં બે પાઇલટ સહિત તમામ 13 લોકોના મોત થયા.

Plane crash in Peru:પેરૂના નાઝ્કા શહેર નજીક પ્રવાસીઓને લઈને ઉડાન ભરેલું એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર બે પાયલટ સહિત તમામ 13 લોકોના મોત થયા છે. આ વિમાન વિશ્વપ્રસિદ્ધ આશરે 2,000 વર્ષ જૂની નાઝ્કા લાઇન્સનું હવાઈ દૃશ્ય બતાવવા માટે નીકળ્યું હતું.

 

દક્ષિણ અમેરિકાના દેશ પેરૂમાં એક હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. નાઝ્કા શહેરની બહાર પ્રવાસીઓને લઈને ઉડાન ભરેલું નાનું વિમાન અચાનક તૂટી પડતાં તેમાં સવાર તમામ 13 લોકોનાં મોત થયા હતા. અકસ્માત બાદ વિમાનમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક પ્રશાસન અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ કોઈને બચાવી શકાયા નહોતા.

ઉડાન ભર્યાના થોડા જ સમયમાં અકસ્માત

આ વિમાન નજીકના ઇકા (Ica) શહેરમાંથી વિશ્વપ્રસિદ્ધ નાઝ્કા લાઇન્સનું હવાઈ દૃશ્ય બતાવવા માટે ઉડાન ભરી હતી. શરૂઆતમાં ઉડાન સામાન્ય રીતે ચાલી રહી હતી, પરંતુ નાઝ્કા લાઇન્સ નજીક પહોંચ્યા બાદ વિમાન અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને એક ખેતરમાં તૂટી પડ્યું. અકસ્માત બાદ વિમાનમાં ભીષણ આગ લાગી અને તે સંપૂર્ણપણે બળી ગયું.

વિમાનમાં બે પાયલટ અને 11 પ્રવાસીઓ સવાર હતા. સ્થાનિક લોકોએ તરત જ પ્રશાસનને જાણ કરી હતી. બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી, પરંતુ ત્યાં સુધીમાં તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોનાં મોત થઈ ચૂક્યાં હતાં.

નાઝ્કા લાઇન્સ જોવા માટે ખાસ પ્રવાસી ઉડાન

માહિતી અનુસાર, વિમાનમાં સવાર તમામ પ્રવાસીઓ વિશ્વપ્રસિદ્ધ નાઝ્કા લાઇન્સ જોવા માટે ખાસ 'સીનિક ફ્લાઇટ' પર નીકળ્યા હતા. આ રહસ્યમય વિશાળ ભૂ-આકૃતિઓને જમીન પરથી સંપૂર્ણ રીતે જોવી શક્ય નથી. તેથી પ્રવાસીઓ સામાન્ય રીતે નાના વિમાનો અથવા ખાસ વ્યૂઇંગ ટાવરની મદદથી તેનો નજારો માણે છે.

14 વર્ષથી સીનિક ફ્લાઇટ ચલાવતી હતી કંપની

દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું સંચાલન પેરૂની એવિએશન કંપની એરોડિયાના (Aerodiana) કરી રહી હતી. કંપનીની વેબસાઇટ અનુસાર, છેલ્લા 14 વર્ષથી તે સેસના ગ્રાન્ડ કારવાં (Cessna Grand Caravan) વિમાન દ્વારા પ્રવાસીઓને નાઝ્કા લાઇન્સનું હવાઈ ભ્રમણ કરાવતી આવી રહી છે. અકસ્માત બાદ કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. બીજી તરફ સંબંધિત એજન્સીઓએ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.

શું છે નાઝ્કા લાઇન્સ?

નાઝ્કા લાઇન્સ વિશ્વના સૌથી રહસ્યમય પુરાતત્વીય સ્થળોમાંનું એક માનવામાં આવે છે. તે પેરૂની રાજધાની લીમાથી આશરે 400 કિલોમીટર દક્ષિણમાં આવેલા નાઝ્કા અને પાલ્પા રણપ્રદેશમાં આવેલી વિશાળ ભૂ-આકૃતિઓ છે.

માનવામાં આવે છે કે આ આકૃતિઓ નાઝ્કા સંસ્કૃતિના લોકોએ ઈ.સ.પૂર્વે 200થી ઈ.સ. 600 વચ્ચે બનાવી હતી. રણપ્રદેશની ઉપરની ગાઢ રંગની માટી અને પથ્થરો દૂર કરીને નીચેની હળવા રંગની સપાટી બહાર લાવી આ આકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. તેમાં પક્ષીઓ, પ્રાણીઓ, વૃક્ષો, ભૂમિતિ આધારિત આકારો અને અનેક કિલોમીટર લાંબી સીધી રેખાઓ સહિત સેંકડો ડિઝાઇન સામેલ છે. ઘણી આકૃતિઓની લંબાઈ 100થી 300 મીટર અથવા તેથી પણ વધુ છે.

આજે પણ રહસ્ય યથાવત

વૈજ્ઞાનિકો અને પુરાતત્વવિદો હજુ સુધી એ બાબતે સંપૂર્ણ સહમત નથી કે નાઝ્કા લાઇન્સ કયા હેતુથી બનાવવામાં આવી હતી. કેટલાક નિષ્ણાતો તેને ધાર્મિક વિધિઓ સાથે જોડે છે, જ્યારે અન્યના મત મુજબ તેનો સંબંધ જળસ્ત્રોતોની ઓળખ, ખગોળીય અભ્યાસ અથવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે હોઈ શકે છે.

અહીંનું અત્યંત શુષ્ક હવામાન અને ખૂબ ઓછો વરસાદ હોવાના કારણે આ આકૃતિઓ છેલ્લા લગભગ બે હજાર વર્ષથી સુરક્ષિત રહી છે. આજે નાઝ્કા લાઇન્સ યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં પણ સામેલ છે.

અગાઉ પણ બની ચૂક્યા છે આવા અકસ્માતો

નાઝ્કા લાઇન્સ પર પ્રવાસીઓને હવાઈ ભ્રમણ કરાવતા વિમાનો સાથે અગાઉ પણ અનેક અકસ્માતો થયા છે. વર્ષ 2022માં એક નાનું પ્રવાસી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં સાત લોકોનાં મોત થયા હતા. તે પહેલાં વર્ષ 2010માં પણ આ વિસ્તારમાં થયેલા વિમાન અકસ્માતમાં છ લોકોનાં જાન ગયા હતા.

વારંવાર બની રહેલી આવી દુર્ઘટનાઓ બાદ પ્રવાસી વિમાનોની સુરક્ષા વ્યવસ્થા અને ઉડાન સંચાલનને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે.

તપાસ શરૂ

પેરૂની નાગરિક ઉડ્ડયન અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓએ અકસ્માતની વિગતવાર તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં વિમાનના ટેક્નિકલ રેકોર્ડ, હવામાનની સ્થિતિ અને ઉડાન સાથે જોડાયેલા અન્ય પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું સાચું કારણ સામે આવશે.

 

Advertisement

ટોપ સ્ટોરી

FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ
Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget