ગુજરાતમાં પાટીદારો ઉપરાંત હરિયાણા અને રાજસ્થાનમાં જાટ સમુદાય, તેમજ ઉત્તર પ્રદેશ સહિતના હિન્દીભાષી રાજ્યોમાં ગુર્જર સમુદાય પોતાના માટે અનામતની માગણી કરી રહ્યો છે. આ પંચના માધ્યમથી ભાજપ સરકાર આ તમામને સંતોષ આપીને પોતાની મત વોટબેંક મજબુત કરશે, એવી શક્યતા છે.
2/5
ઓબીસીમાં નવી જાતિઓનો સમાવેશ કરવા માટે સંસદની અનુમતી જરૂરી હશે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની જગ્યાએ નવું આયોગ મોદી સરકાર બનાવશે. આ નિર્ણયને કારણે ભાજપને ગુજરાતમાં મોટો ફાયદો થઈ શકે છે. નોંધનીય છે કે, છેલ્લા દોઢ વર્ષથી પાટીદારો અનામત માટે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે.
3/5
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભાજપ લાંબા સમયથી જ્ઞાતિવાદી અનામતને બદલે આર્થિક આધાર પર અનામતની તરફેણ કરે જ છે. સવર્ણોમાં પણ આર્થિક રીતે પછાતવર્ગના લોકોને અનામત આપવી જોઇએ, તેવી માગ સંઘ દ્વારા વારંવાર કરાઇ છે. મોદી સરકાર આ પંચ દ્વારા એ માગણીને સંતોષે એવી શક્યતા નકારી ન શકાય.
4/5
નવી દિલ્લીઃ મોદી સરકાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકો માટે એક નવા આયોગનું ગઠન કરશે. આ માટે મોદી સરકાર બંધારણમાં સંશોધન કરશે. તાજેતરમાં જ દેશમાં કેટલીક જગ્યાઓ પર અનામત માટે આંદોલન થયા છે, જેથી મોદી સરકાર બંધારણમાં સંશોધન કરી કેટલીક નવી જાતિઓનો ઓબીસીમાં સમાવેશ કરી શકે છે.
5/5
આ ઉપરાંત આ નવા પંચની ભલામણોને અનુલક્ષીને અનામતનો આધાર જ્ઞાતિઓ નહીં પણ આર્થિક હોય, તેવું પણ બની શકે છે. જ્ઞાતિવાદી અનામતના બદલે આર્થિક રીતે પછાતવર્ગ (ઇબીસી)ને અનામત આપવાનો તખ્તો પણ આ પંચના માધ્યમથી ઘડાઇ શકે છે.