લોકોની ભલાઈ માટે કરતા આ કામ માટે સરકારે તેમનું સન્માન કર્યું છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ ખુદ અનવર ઉલ હકને ફોન કરતાં કહ્યું કે, અમે તમારા કામની પ્રશંસા કરીએ છીએ. માટે તમને સન્માનિત કરવા માગીએ છીએ. ત્યાર બાદ પ્રસાદે કહ્યું કે, અમે અનવરનો ધર્મ નતો જોયો અને નતો એમને પૂછ્યું કે શું તેણે અમને વોટ આપ્યો હતો કે નહીં.
2/3
પોતાના પક્ષમાં તર્ક આપતા રવિશંકર પ્રસાદે આવ વખતે પદ્મ સન્માનથી નવાજવામાં આવેલ અનવર ઉલ હકનો ઉલ્લેખ કર્યો. રવિશંકર પ્રસાદે કહ્યું કે, અનવર પશ્ચિમ બંગાળમાં ચાના બગીચામાં મજૂરી કરે છે. તે બીમાર લોકોને પોતાની બાઈક પર બેસાડીને હોસ્પટિલ સુધી લઈ જાય છે. તેની પાછલ પણ એક કહાની છે. તેની માતાનું યોગ્ય સારવાર ન મળવાને કારણે મૃત્યું થઈ ગયું. ત્યારથી તેણે મોટરસાઈકલને જ પોતાની એમ્બ્યુલન્સ બનાવવાનો નિર્ણય કર્યો. ત્યાર બાદથી આજ સુધીમાં તેઓ 2000થી વધારે લોકનો તેના માધ્યમથી હોસ્પિટલ પહોંચાડીને જીવ બચાવી ચૂક્યા છે.
3/3
નવી દિલ્હીઃ કેન્દ્રીય ટેલીકોમ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે શુક્રવારે એક કાર્યકરમમાં કહ્યું કે, તેઓ જાણે છે કે મુસ્લિમ ભાજપને વોટ નથી આપતા. છતાં ભાજપ તેમનો આદર કરે છે અને પક્ષે ક્યારેય તેમને હેરાન નથી કર્યાં. મીડિયા અહેવાલ અનુસાર રવિશંકર પ્રસાદે એક કાર્યક્રમાં બહુસાંસ્કૃતિક સમાજના સંબંધમાં કરવામાં આવેલ સવાલના જવાબ આપતા કહ્યું કે, અમે ભારતની વિવિધતાનું સન્માન કરીએ છીએ. વિતેલા ઘણાં સમયથી અમારી વિરૂદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ આજે લોકોના આશીર્વાદથી અમે લોકો અહીં છીએ. 25 રાજ્યોમાં અમારું સાસન છે. 13 રાજ્યોમાં અમારા મુખ્યમંત્રી છે. અમે દેશ પર શાસન કરી રહ્યા છીએ. પરંતુ શું અમે કોઈપણ પ્રકારનું કામ કરતા મુસલમાન વ્યક્તિને હેરાન કર્યા? શું અમે કોઈપણ મુસલમાનને નોકરીમાંથી હાંકી કાઢ્યો? અમને બરાબર ખ્યાલ છે કે મુસ્લિમ અને મત નથી આપતા છતાં અમે ક્યારે તેમને કોઈપણ સુવિધાથી વંચિત રાખ્યા?