મુજફ્ફરનગર: પુરીથી હરિદ્ધાર જઈ રહેલી ઉત્કલ એક્સપ્રેસ મુજફ્ફરનગરના ખતૌલી પાસે દુર્ઘટનાગ્રસ્ત થતા 23 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 80થી વધુ લોકો ઘાયલ થવાની આશંકા સેવવામાં આવી રહી છે.
2/4
યૂપીની ભીષણ રેલવે અકસ્માત રેલવેની લાપરવાહીના કારણે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે ટ્રેક પર રેલવે જઈ રહી હતી તે ટ્રેક પર કામ ચાલી રહ્યું હતું. અને પાટો કાપેલો હતી. આશંકા છે કે, આ જ કારણે દૂર્ઘટના બની છે. હવે ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગના પ્રિંસિપલ સેક્રેટરીએ પણ આશંકા કરતા કહ્યું કે લાપરવાહીના કારણે ઘટના બની શકે છે. પાટા મર કામ કરી રહેલા લોકોએ સૂચના આપવી જોઈતી હતી. ગૃહ વિભાગના પ્રિંસિપલ સેક્રેટરીએ મેન્ટેંનેંસ ટીમની લાપરાવાહી ગણાવી છે.
3/4
ઉત્કલ એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. પોલીસ અને પ્રશાસન ઓફિસર ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય પૂર ઝડપે શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં ઘણા ઘાયલ લોકોની હાલત ગંભીર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઘાયલો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.
4/4
રેલવેમંત્રી સુરેશ પ્રભુએ મૃતકોના પરિવારને 3.5 લાખ રૂપિયા અને ગંભીર ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપીયાની સહાય આપવા જાહેરાત કરી છે. જ્યારે સીએમ યોગી આદિત્યનાથે પણ મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર સહાય આપવાની જાહેરાત કરી છે. પીએસીની 12 કંપનિઓ રાહત અને બચાવ કાર્ય માટે મોકલવામાં આવી છે.