ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વડોદરા નજીક નર્મદા બ્રિજની પાસે સાધુ બેટમાં સરદાર પટેલનું ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 597 ફૂટ ઉંચી આ પ્રતિમાનું નિર્માણ જ્યારે પુરું થશે, ત્યારે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનશે.
2/6
આ સંબંધમાં રિટાયર્ડ એન્જિનિયર જેપી સિંહનું કહેવું છે કે 60 વર્ષનું કુશાસન ભોગવનાર દેશ માટે પીએ મોદી રામના સ્થાને આવ્યા છે. આ મંદિર બનાવવા માટે રૂપિયા મોદી ભક્તો આપશે.
3/6
આ પ્રોજેક્ટ 20 હજાર વર્ગ મીટર એરિયામાં ફેલાયેલો છે. 31 ઓક્ટોબર, 2014એ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં સરકારે આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 2,063 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ લગાવ્યો હતો. આ કામ માટે ગુજરાત સરકારે 2013માં સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની રચના કરી છે.
4/6
તેમને એવું પણ કહ્યું કે આ મંદિરના નિર્માણ પછી મેરઠ વિશ્વ પટલ પર છવાશે. ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમાના તર્જ પર આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
5/6
આ પ્રસ્તાવિત મંદિરમાં નરેંદ્ર મોદીની 100 ફૂટ ઉંચી પ્રતિમા મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 10 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યો છે. આ મંદિરને 2019ની લોકસભાની ચૂંટણી પહેલા તૈયાર થવાની આશા છે.
6/6
મેરઠ: સરઘનાના બીજેપી ધારાસભ્ય સંગીત સોમની આગેવાનીમાં મેરઠમાં પીએમ નરેંદ્ર મોદીનું મંદિર બનાવવાની તૈયારી ચાલી રહી છે. એક વેબસાઈટના અહેવાલ પ્રમાણે મેરઠ-કરનાલ રોડ પર તેના માટે જમીન ખરીદી લેવામાં આવી છે. આ મંદિર બનાવવા માટે 23 ઓક્ટોબરે આ જમીનનું ભૂમિપૂજન થશે.