નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના તમામ સાંસદો અને એમએલએને કહ્યું કે, તે 8 નવેમ્બરથી 31 ડિસેમ્બર, 2016ની વચ્ચે તેમના ખાતામાં થયેલા તમામ ટ્રાન્ઝેક્શનની વિગતો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આપે.
2/2
ભાજપ સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ પણ કહ્યું કે, સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવેલ આઈટી સંશોધન બિલ કાળા નાણાંને સફેદ કરવા માટે નહીં, પરંતુ ગરીબો પાસેથી લૂંટવામાં આવેલ રકમનો તેમના જ કલ્યાણ માટે ઉપયોગ કરવા માટે છે.