બાડમેરઃ વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહેલા ભાજપના સાંસદ જસવંતિ સિંહના દીકરા અને ધારાસભ્ય માનવેન્દ્ર સિંહે ભાજપ સાથે છેડો ફાડી દીધો છે. તેમણે સ્વાભિમાન રેલીને સંબોધતા કહ્યું કે, 2014ની લોકસભા ચૂંટણીમાં બાડમેર ચર્ચાનો વિષય હતું અને 2018માં પણ દરેક લોકો બાડમેર તરફ જોઈ રહ્યા છે. માનવેન્દ્ર સિંહે મંચ પરથી કહ્યું કે, કમળનું ફૂલ અમારી એક ભૂલ હતી.
2/4
સ્વાભિમાન રેલીમાં બોલતા માનવેન્દ્ર સિંહની પત્ની ચિત્રા સિંહે કહ્યું કે, અમે આ રેલી દ્વારા વસુંધરા રાજે સુધી અવાજ પહોંચાડવા માંગીએ છીએ કે હવે તે માત્ર બે મહિના માટે જ રાજસ્થાનના મુખ્યમંત્રી છે. તેમને આગામી વિધાનસભા ચૂંટણીમાં સત્તાથી ઉખેડી ફેંકવાના છે.
3/4
માનવેન્દ્રના પિતા જસવંત સિંહની બાડમેર લોકસભા સીટ પરથી ટિકિટ કાપવામાં આવી ત્યારથી જ તેઓ વસુંધરા રાજેથી નારાજ હતા. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના બે મહિના પહેલા તેણે રાજપૂતોની રેલી કરીને બીજેપી માટે બાડમેરમાં મોટું સંકટ ઊભું કરી દીધું છે.
4/4
આ રેલીમાં એવી ભાવુક અપીલ પણ કરવામાં આવી કે જસવંત સિંહની જે હાલત છે તેના માટે ક્યાંકને ક્યાંક વસુંધરા રાજે જવાબદાર છ અને આપણે તેનો બદલો લેવાનો છે.