1518માં આ જ જગ્યાએ સંત કબીર દાસનું મૃત્યુ થયું હતું.
2/10
સંતકબીર નગર જિલ્લામાં નાનું ગામ મગહર વારાણસીથી 200 કિમી દુર છે. મગહર વિશે કહેવાતું હતું કે, અહીં મરનારો વ્યક્તિ નરકમાં જાય છે. કબીરએ આ અંધવિશ્વાસને તોડવા માટે અંતિમ સમય મગહરમાં વિતાવ્યા હતા.
3/10
પીએમે મહાગઠબંધન પર પણ નિશાન સાધ્યું, તેમને કહ્યું કે, સત્તાની લાલચ એવી છે કે ઇમર્જન્સી લગાવવા વાળા અને ઇમર્જન્સીનો વિરોધ કરવાવાળા ખભે ખભા મિલાવીને ખુરશી હડપવામાં લાગ્યા છે. આ લોકો માત્ર પોતાના પરિવારોના હિતો માટે જ ચિંતિત છે.
4/10
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક પક્ષોને શાંતિ અને વિકાસ નહીં, કલહ અને અશાંતિ જોઇએ છે. તેમને લાગે છે કે, જેટલો અસંતોષ અને અશાંતિનું બનાવશો તેટલો રાજકીય લાભ થશે. સત્ય એ છે કે આવા લોકો જમીનમાંથી કપાઇ ચૂક્યા છે, તેમને અંદાજો નથી કે સંત કબીર, મહાત્મા ગાંધી, બાબા સાહેબને માનનારા આપણા દેશનો સ્વભાવ છે.
5/10
પીએમ મોદીએ કબીરના સંદેશને યાદ કરતાં વિપક્ષ પર હુમલો કર્યો, તેમને કહ્યું કે, "સંત કબીર જાતી પાતીમાં વિશ્વાસ ન હોતાં કરતાં, તે માનતા હતા કે બધા એકસરખા છે. આપણે કબીરનો બુદ્ધિપરખ સંદેશ લોકો સુધી લઇ જઇશું અને ન્યૂ ઇન્ડિયાને આકાર આપીશું."