શોધખોળ કરો
અયોધ્યા વિવાદ અંગે સ્વામી બોલ્યા- મુસ્લિમ સમાજ અમારો પ્રસ્તાવ માન્ય રાખે, નહિ તો 2018માં આવશે કાયદો
1/4

બુધવારે સવારે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યુ છે કે સરયૂ નદીની પાર મસ્જિદ બનાવવાના મારા પ્રસ્તાવને મુસ્લિમ સમાજે માન્ય રાખવો જોઈએ. જો આ પ્રસ્તાવનો તેઓ અસ્વીકાર કરશે તો વર્ષ 2018માં રાજ્યસભામાં બહુમત બાદ રામ મંદિરના નિર્માણનો કાયદો આવશે.
2/4

હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે 2.77 એકર જમીનને ત્રણ સરખા ભાગમાં વહેંચવાની રહેશે. કોર્ટે રામ મૂર્તિ વાળો ભાગ રામલલા વિરાજમાનને, રામ ચબૂતરા અને સીતા રસોઈનો ભાગ નિર્મોહી અખાડાને અને ત્રીજો ભાગ સુન્ની વક્ફ બોર્ડને આપવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટના નિર્ણય બાદ અયોધ્યા વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં સુપ્રીમે આ મામલો કોર્ટ બહાર ઉકેલવાની સલાહ આપી છે.
Published at : 22 Mar 2017 10:39 AM (IST)
View More























