શોધખોળ કરો
મધ્યપ્રદેશ: શાજાપુરમાં જુલુસ દરમિયાન જૂથ અથડામણ, બાઇક અને દૂકાનોને આગચંપી, કલમ 144 લગાવવામાં આવી
1/3

2/3

શાજાપુર: મધ્યપ્રદેશના શાજાપુરમાં મહારાણા પ્રતાપ જયંતીના અવસર પર બે જૂથો આમને સામને આવી જતા ભારે હિંસા ભડકી ઊઠી હતી. હિંસક બનેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને અનેક ગાડીઓને પણ સળગાવી દીધી હતી. સાથે કેટલીક દુકાનોને પણ આગને હવાલે કરી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ ઘટનાને લઇને તંત્રએ શહેરમાં ધારા 144 લગાવી દીધી છે. પોલીસ અધિકારી અનુસાર સ્થિતિ હવે કાબૂમાં છે.
Published at : 16 Jun 2018 07:55 PM (IST)
Tags :
ViolenceView More




















