શોધખોળ કરો

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ, કયા દિગ્ગજ નેતાએ કોંગ્રેસમાંથી ધરી દીધું રાજીનામું?

પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માના રાજીનામાં બાદ કોંગ્રેસના બે સિનિયર કાઉન્સિલર પણ હરોળમાં છે. વિપક્ષ નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણની વરણી થતા બંને મહિલા કાઉન્સિલરોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશનમાં પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માના રાજીનામાં બાદ કોંગ્રેસના બે સિનિયર કાઉન્સિલર પણ હરોળમાં છે. વિપક્ષ નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણની વરણી થતા બંને મહિલા કાઉન્સિલરોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. દિનેશ શર્માની સાથે બંને મહિલા કાઉન્સિલર નજીકના દિવસોમાં રાજીનામુ આપશે.

બે દિવસ અગાઉ ભાજપના સિનિયર નેતાની મુલાકાત બાદ નિર્ણય કર્યો હતો. કોંગ્રેસની શિસ્તભાંગ સમિતિએ બંને મહિલા કાઉન્સિલરને નોટિસ પણ ફટકારી છે.

ગુજરાત(Gujarat)માં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી પક્ષપલટાની મોસમ શરુ થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ભાજપ(BJP)માં જવાની  ચર્ચામાં રહેલા કૉંગ્રેસ(Congress)ના નેતા જયરાજ સિંહ(Jayrajsinh) આજે વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા છે.  કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ  સીઆર પાટીલ, ગોરધન ઝડફિયા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાધેલાની હાજરીમાં તેઓએ કેસરિયા કર્યા છે.

ગાંધીનગર(Gandhinagar)ના કમલમ પહોંચતા પહેલા જયરાજસિંહે શક્તિપ્રદર્શન કર્યુ હતુ. ભાઈજીપુરા સર્કલથી કમલમ સુધી જયરાજસિંહ પરમારે સમર્થકો સાથે રેલી કાઢી હતી. ત્યાર બાદ પોતાના સમર્થકો સાથે તેઓ ભાજપમાં સામેલ થયા હતા.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જયરાજસિંહનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, અમે કોઈનો ભરતીમેળો કરતા નથી. સરકારની યોજના લોકો સુધી પહોંચાડે તે તમામનું સ્વાગત છે. ભાજપ પ્રમુખ પાટીલ મોડા પડ્યા હોવાથી ભાજપના ઋષિકેશ પટેલ, ઝડફિયા અને રજની પટેલે કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. ગોરધન ઝડફિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, તેઓ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાચેલા છે. પ્રજાની વેદનાને સારી રીતે સમજી શકે છે. અમે પ્રજા સાથે સંકળાયેલા નેતાઓનું સ્વાગત કરીએ છીએ. 

 

કમલમ ખાતે જયરાજસિંહ પરમારે વિધિવત કેસરિયા કર્યા બાદ ભાજપના નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પહેલા રાજાનો દિકરો રાજા થતો હતો. આ સમયમાં થતી લડાઈમાં રાજ સત્તાઓ બદલાતી હતી. લોહીનું એક પણ ટીપું પડ્યા વિના આખી સરકાર બદલાઈ જાય છે, એનું નામ લોકશાહી છે. તેમણે જણાવ્યું કે, મારા 37 વર્ષ અને અનેક કાર્યકર્તાઓએ ખૂબ લોહી રેડ્યું છે. એવા કાર્યકર્તાઓને લઈને આપની સમક્ષ આવ્યો છું. જે ત્રુટીઓ છે એ પુરવા આવ્યો છું. એની ખાતરી આપું છું.   જયરાજસિંહ પરમારે જણાવ્યું કે, આ મંચ રાષ્ટ્રવાદી છે. હું કોઈ અપેક્ષા સાથે નથી આવ્યો  જે ખૂટે છે તે પૂરવા માટે આવ્યો છું. રાજનીતિએ સેવાનો વિષય હોવાની વાત કરતા જયરાજસિંહે શાયરાના અંદાજમાં કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોતRajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકારBhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણArvalli Crime : અરવલ્લીના ધનસુરામાં વેપારીને માર મારીને કરાયો લૂંટનો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ પહોંચશે તાપમાન
સાવધાન! શું તમે પણ સિગારેટ પીવો છો? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
સાવધાન! શું તમે પણ સિગારેટ પીવો છો? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Embed widget