શોધખોળ કરો

Arvind Kejriwal Gujarat visit: અમદાવાદમાં રિક્ષાવાળાને ત્યાં જમવા જશે કેજરીવાલ, આવું હશે મેનુ

Arvind Kejriwal Gujarat visit: વિધાનસભાની આગામી ચૂંટણીને લઇ અરવિંદ કેજરીવાલે આજે અમદાવાદમાં ઓટો રીક્ષા ચાલક સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં અરવિંદ કેજરીવાલે ઓટો રીક્ષા ચાલકોને વચન આપ્યું.

Arvind Kejriwal Gujarat visit: વિધાનસભાની આગામી ચૂંટણીને લઇ અરવિંદ કેજરીવાલે આજે અમદાવાદમાં ઓટો રીક્ષા ચાલક સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં અરવિંદ કેજરીવાલે ઓટો રીક્ષા ચાલકોને વચન આપ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઓટો રીક્ષા ચાલકોના સંતાનો માટે શાળાઓ બનાવવામાં આવશે. આ ઉપરાંત બીમારીમાં ઓટો રીક્ષા ચાલકોને રૂપિયા દસ લાખ સુધીની ફ્રી સારવાર આપવામાં આવશે.

 

તો બીજી તરફ સાંજે 8 કલાકે અરવિંદ કેજરીવાલ રીક્ષા ચાલકના ઘરે જમવા જશે. અરવિંદ કેજરીવાલ રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે ભોજન લેશે. ABP અસ્મિતા સાથે રીક્ષા ચાલક વિક્રમ દંતાણીએ વાત કરી. રિક્ષા ચાલકે કહ્યું કે, પંજાબના એક રિક્ષાચલાકના ઘરે અરવિંગ કેજરીવાવ જમવા ગયા હતા તેનો એક વિડીયો જોયા બાદ મને વિચાર આવેલો. તેમણે એમ પણ કહ્યું કે, મેં અગાઉ કોઈ તૈયારી નહોતી કરી. અમે દાળ, ભાત, રોટલી, દહીંનું રાયતું અને શિરો જમાડવાના છીએ. અરવિંદ કેજરીવાલએ આમંત્રણ સ્વીકાર્યું એટલે હવે અમે તૈયારીઓ ચાલુ કરી છે. કેજરીવાલ સાથે અન્ય ત્રણ લોકો ભોજન લેવા આવવાના છે એવું જાણવા મળ્યું છે.

તો વળી રિક્ષા ચાલકો સાથેના સંવાદમાં કેજરીવાલે હિન્દુત્વ ઉપર ભારતીય જનતા પાર્ટીનું નામ લીધા વગર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે હું જે યોજનાઓની વાત કરું છું તેને તે લોકો ફ્રી ની રેવડી કહે છે. હિન્દુ શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે બીમારની સારવાર કરવાથી પુણ્ય મળે છે. આ પુણ્યએ લોકો કમાવા નથી દેતા આતો કેવા હિન્દુ છે. ધારાસભ્યો અને સાંસદોને મળતી ફ્રી સેવાઓ ટિપ્પણી કરતાં કેજરીવાલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી અને મંત્રીઓને ચાર હજાર યુનિટ વીજળી ફરી મળે છે તો લોકોને 300 યુનિટ ફ્રી વીજળી કેમ ન મળવી જોઈએ. તેઓને રેવડી ખાવી છે પરંતુ પ્રજાને રેવડી આપવી નથી.

કેજરીવાલે રીક્ષા ચાલકોને વિનંતી કરતા જણાવ્યું હતું કે, હવે માત્ર બે મહિના બાકી છે, દરરોજ તમારી રિક્ષામાં જે મુસાફરો બેસે તેને એક મોકો કેજરીવાલને આપવાની વિનંતી કરજો જો કોઈ સવાલ પૂછે તો તેને જવાબ આપજો કે કેજરીવાલ કટર ઈમાનદાર છે. તે ઝેરી દારૂ નથી વેચતો, કેજરીવાલ લાખો કરોડો રૂપિયા ખર્ચીને ધારાસભ્ય નથી ખરીદતો. આમ કેજરીવાલે રિક્ષા ચાલકોને પોતાની પાર્ટીની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Embed widget