શોધખોળ કરો

અમદાવાદઃ 21 વર્ષના યુવકને ઉંમરમાં મોટી યુવતી સાથે બંધાયા સંબંધ, બંને લિવ ઈનમા સાથે રહેવા લાગ્યાં ને....

બે દિવસથી મકાન બંધ હતું અને બંધ મકાનમાં ભયંકર દુર્ગંધ મારતી હોવાથી પડોશીએ પોલીસ કન્ટ્રોલમાં જાણ કરી હતી.

અમદાવાદઃ રાજસ્થાનના યુવકને મુંબઈની યુવતી સાથે સંબંધ બંધાતાં બંને અમદાવાદમાં લિવ ઈન રીલેશનમાં રહેતાં હતાં. જો કે બંનેના સંબંધથી યુવકના પરિવારજનો નારાજ હતા તેથી બંનેએ આપઘાત કરી લીધો છે. રાજસ્થાનના વતની લક્ષ્મણરામ પાબુરામ ચૌધરી (ઉ.વ.21) અને મુંબઇની પૂજાબહેન ૨બ્બભાઇ તરકસ ( ઉ.વ. 23) વચ્ચે સંબંધ બંધાયા હતા. બંને 15 દિવસ પહેલાં જ  ઓઢવમાં છોટાલાલની ચાલી સામે આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં ભાડે રહેવા આવ્યા હતા.  યુવક અને યુવતી વધારે સમયમાં રૂમમાં જ રહેતાં હોવાથી પડોશી લોકોનો કોઇ સંપર્ક થતો ન હતો. છેલ્લા  બે દિવસથી મકાન બંધ હતું અને બંધ મકાનમાં ભયંકર દુર્ગંધ મારતી હોવાથી પડોશીએ પોલીસ કન્ટ્રોલમાં જાણ કરી હતી. ઓઢવ પોલીસે  મકાનનો દરવાજો તોડીને અંદર તપાસ કરી તો બેડરૂમમાં પલંગ પર યુવતીનો મૃતદેહ પડેલો હતો જ્યારે યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ  મળ્યો હતો. પોલીસને મૃતદેહ પાસેથી યુવતીએ લખેલી સુસ્યાઇડ નોંટ મળી હતી. યુવતીએ પોતાના આપઘાત પાછળ લક્ષ્મણ  નિર્દોષ હોવાનું લખેલું હતું.  યુવકે લખેલી સ્યુસાઇડ નોટમાં પ્રેમ સબંધ અંગે કાકા સહિત  કુંટંબીજનો નારાજ હોવાથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓઢવ પોલીસે અકસ્માતે મોત નોધી વધુ તપાસ હાથ ધરી છે. ઓઢવ પોલીસ સ્ટેશનના સિનિયર પી.આઇ. આર. જી. જાડેજાના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં યુવતીએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હોવાનું બહાર આવી રહ્યું છે.  એફએસએલ રિપોર્ટ બાદ યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે. યુવક અને યુવતી પહેલા નિકોલમાં રહેતા હતા અને પંદર દિવસ પહેલાં જ અહિયાં રહેવા આવ્યા હતા. યુવકના કાકા ભંગારનો વ્યવસાય કરે છે. અગાઉ યુવક તેમની સાથે  રહેતો હતો. પોલીસે યુવક અને યુવતીનો લિવ ઇન રિલેશનશીપનો કરાર અને સ્યુસાઇડ નોટ કબજો કરી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Embed widget