શોધખોળ કરો

સોખડા હરિધામ મંદિર વિવાદ મામલે સમાધાનની પહેલી બેઠક પૂર્ણ, જાણો શું આવ્યું પરિણામ

અમદાવાદ: સોખડા હરિધામ મંદિર વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બંને પક્ષો વચ્ચેની સમાધાન માટેની પ્રથમ બેઠક પૂર્ણ થઈ છે. બંને પક્ષોએ સમાધાન માટે તૈયારીઓ દર્શાવી છે.

Sokhada Haridham Temple: સોખડા હરિધામ મંદિર વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બંને પક્ષો વચ્ચેની સમાધાન માટેની પ્રથમ બેઠક પૂર્ણ  થઈ છે. બંને પક્ષોએ સમાધાન માટે તૈયારીઓ દર્શાવી છે. સંસ્થામાં પ્રેમ વિશ્વાસનું વાતાવરણ કેળવાય તે માટે સમાધાની વલણ અપનાવવાની તૈયારી બતાવી છે.  જોડે સંપીને સંસ્થા ચલાવવા માટે કહેવામાં આવ્યું છે. હરિપ્રસાદ સ્વામીની સંસ્થા જોડે મળીને ચલાવવાની વાત સામે આવી છે. 

 

પ્રથમ બેઠક પૂર્ણ થયા બાદ ફરી વધુ એક વખત સમાધાનની મિટિંગ યોજાશે. 12 મેના દિવસે મિડીયેટરની હાજરીમાં બીજી બેઠક મળશે. 12 મેના રોજ 11.30 વાગે વધુ એક બેઠક યોજાશે. હાઇકોર્ટ નિવૃત્ત જસ્ટિસ એમ.એસ.શાહ ઉપસ્થિતમાં આ બેઠક મળશે. જો કે, પ્રબોધસ્વામી દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી હતી છે.  પ્રબોધસ્વામીએ મુકેલી શરતોમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ તૈયારીઓ દર્શાવી છે. પ્રબોધ સ્વામીએ મુકેલી શરતોની વાત કરીએ તો, જે પગલાં ટ્રસ્ટ માટે લેવાયા છે તે પાછા ખેંચવામાં આવે અને ગુરુની હાજરીમાં જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ ફરી રાખવામાં આવે. આમ મોટા વિવાદ બાદ સોખડા હરિધામમાં ફરી શાંતિ પ્રસ્થાપિત થાય તેવા એંધાણ છે.

ભારતી આશ્રમ વિવાદ મામલે મોટા સમાચાર, આ સંત સામે નોંધાશે પોલીસ ફરિયાદ
અમદાવાદ: સરખેજ ભારતી આશ્રમ વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. જૂનાગઢ મહંત હરીહરાનંદજી મહારાજ બે દિવસ ગુમ થતા આ સમગ્ર વિવાદ સપાટી પર આવ્યો હતો. હરિહરાનંદજી મહારાજે સરખેજ આશ્રમના વિવાદને કારણે ગુમ થયા હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ સરખેજ આશ્રમ મામલે ઋષી ભારતી બાપુએ ખોટું વિલ ઉભુ કર્યુ હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો હતો. જેથી સરખેજ આશ્રમનાં વિવાદમાં ઋષિ ભારતી બાપુ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. હરિહરાનંદ સ્વામી તરફથી યદુનંદસ્વામી પોલીસ ફરિયાદ કરશે. અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં ઋષિ ભારતી બાપુ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે. આ ઉપરાંત યદુનંદસ્વામી સરખેજના ઋષિ ભારતીબાપુનું નકલી વિલ એક્સ્પોઝ કરશે.

બનાસકાંઠા: કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાશે

Elections 2022: દાતાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા વસંત ભટોળ ભાજપમાં જોડાશે. આજે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેરશે. તેઓ પોતાના સમર્થકો સાથે કમલમ ખાતે ભાજપમાં જોડાશે. તમને જણાવી દઈએ કે, વસંત ભટોળ બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળના પુત્ર છે. પરથી ભટોળ બનાસડેરીમાં 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા છે. વસંત ભટોળ 2019માં ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે હવે યુવા નેતા વસંત ભટોળ ફરી ભાજપમાં જોડાશે. જેથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. દાતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ કોંગ્રેસ છોડી ફરીથી ભાજપમાં આગમનથી કોંગ્રેસમાં મોટું ગાબડું પડશે. નોંધનિય છે કે, યુવા ટીમમાં વસંત ભટોળ મોટું નેટવર્ક ધરાવે છે. આજે વસંત ભટોળ તેમના 3 હજારથી વધુ સમર્થકો સાથે ગાંધીનગર કમલમ ખાતે કેસરિયો કરશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Embed widget