શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદમાં બે દિવસમાં કોરોનાની રસીના ટ્રાયલ માટે કેટલા લોકો આગળ આવ્યા એ જાણીને લાગી જશે આઘાત, જાણો કેટલાંએ મૂકાવી રસી ?
ગુજરાત સરકારે આ રસીના ટ્રાયલ માટે આગળ આવવા માટે લોકોને અપીલ કરી હતી પણ બે દિવસમાં માત્ર પાંચ જ વોલંટીયર્સ આગળ આવ્યા છે.
![અમદાવાદમાં બે દિવસમાં કોરોનાની રસીના ટ્રાયલ માટે કેટલા લોકો આગળ આવ્યા એ જાણીને લાગી જશે આઘાત, જાણો કેટલાંએ મૂકાવી રસી ? Five volunteers got corona vaccine in Ahmedabad, 10 persons registration for trial અમદાવાદમાં બે દિવસમાં કોરોનાની રસીના ટ્રાયલ માટે કેટલા લોકો આગળ આવ્યા એ જાણીને લાગી જશે આઘાત, જાણો કેટલાંએ મૂકાવી રસી ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/21165244/vaccine.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં બુધવારથી કોરોના સામે રક્ષણ આપતી સ્વદેશી રસી કોવેક્સીનની ત્રીજા ફેઝની ટ્રાયલનો પ્રારંભ થયો હતો. ગુજરાત સરકારે આ રસીના ટ્રાયલ માટે આગળ આવવા માટે લોકોને અપીલ કરી હતી પણ બે દિવસમાં માત્ર પાંચ જ વોલંટીયર્સ આગળ આવ્યા છે. બુધવારે પહેલા દિવસે એક અને ગુરૂવારે ચાર મળીને માત્ર પાંચ વોલિયન્ટરને કોવેક્સીન અપાઈ છે.
કોરોનાની રસીના સંશોધનમાં લોકો મદદ કરશે અને વેક્સીન માટે લોકો ઉમટી પડશે તેવી ધારણા હતી. તેના બદલે અત્યંત નબળો પ્રતિસાદ મળતાં સત્તાવળા ચિંતામાં છે. આ રસીના કારણે થનારી આડઅસરોના ડરથી લોકો રસી મૂકાવવા માટે આગળ આવતા નથી એવું નિષ્ણાતોનું માનવું છે. આ રસી અંગે પૂછપરછ ઘણા લોકોએ કરી છે પણ માત્ર પાંચ વોલિયન્ટરે જ વેક્સીન મૂકાવી હતી.
આઈસીએમઆર, ભારત બાયોટેક અને પૂનાની નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીના સંયુક્ત ઉપક્રમે વિકસાવાયેલી સ્વદેશી કોવેક્સીનની ફેઝ-૩ની ટ્રાયલ સોલા સિવિલમાં શરૂ થઈ ગઈ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)