શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતાએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાના શપથ ગ્રહણ સમારોહમાં સંબોધન કરતાં વિક્રમ માડમે ભાવુક થઈને કહ્યું કે, "હું હવે પ્રજા માટે કામ કરવાનું બંધ કરી દઉં છું અને મારે હવે ચૂંટણી લડવી નથી."

દ્વારકા: સૌરાષ્ટ્રના રાજકારણમાં એક મોટા રાજકીય ભૂકંપના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમે હવેથી દેવભૂમિ દ્વારકામાંથી ચૂંટણી ન લડવાની જાહેરાત કરીને રાજકીય વર્તુળોમાં ભારે આંચકો આપ્યો છે. તેમની આ જાહેરાતને રાજકીય સન્યાસના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાના શપથ ગ્રહણ સમારોહમાં સંબોધન કરતાં વિક્રમ માડમે ભાવુક થઈને કહ્યું કે, "હું હવે પ્રજા માટે કામ કરવાનું બંધ કરી દઉં છું અને મારે હવે ચૂંટણી લડવી નથી." તેમણે કોંગ્રેસના જ નેતાઓ પર રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, "મેં જેમને નેતા બનાવ્યા એ બધા વેચાઈ ગયા છે. કંપનીઓ પૈસા લઈને આવે છે અને એ વેચાઈ જાય છે, તો પછી લડવું કોની માટે અને શું કરવા?"

માડમની આ જાહેરાત કોંગ્રેસ માટે મોટા આંચકા સમાન માનવામાં આવી રહી છે, કારણ કે તેઓ આ વિસ્તારમાં કોંગ્રેસના એક મજબૂત આધારસ્તંભ રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હું જીવું ત્યાં સુધી આ પંજો (કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન) મારા ગળામાં રહેશે, હું કોંગ્રેસમાં નહીં રહું તો બીજે ક્યાંય જવાનો નથી."

તેમણે પોતાના નિર્ણય પાછળનું કારણ જણાવતા કહ્યું કે, "જનતાને જો મારી જરૂર ન હોય તો મારે સમજી જવું જોઈએ કે હવે રાજકારણ છોડવાનો સમય આવી ગયો છે." તેમના આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને તેમના સમર્થકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. વિક્રમ માડમનો આ અચાનક અને આકરો નિર્ણય સૌરાષ્ટ્રના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆતનો સંકેત આપી રહ્યો છે.

અમિત ચાવડા ફરી પ્રમુખ, તુષાર ચૌધરીને નવી જવાબદારી

ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) લાંબા સમયથી ચાલી રહેલી પ્રદેશ નેતૃત્વની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના (Gujarat Pradesh Congress Committee) અધ્યક્ષ પદે ફરી એકવાર અમિત ચાવડાની (Amit Chavda) નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા (Congress Legislative Party Leader) તરીકે ખેડબ્રહ્માના (Khedbrahma) ધારાસભ્ય અને અગ્રણી આદિવાસી નેતા તુષાર ચૌધરીને (Tushar Chaudhary) જવાબદારી સોંપવામાં આવી છે.

અમિત ચાવડાની બીજી ઇનિંગ્સ અને તુષાર ચૌધરીને નવી ભૂમિકા

અમિત ચાવડા અગાઉ પણ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે, જેથી તેમનો અનુભવ પક્ષ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તેમની આ ફરીથી નિમણૂક કોંગ્રેસના સંગઠનને નવસંચાર આપવાનો સંકેત આપે છે. બીજી તરફ, તુષાર ચૌધરીની વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની પસંદગી મહત્વપૂર્ણ છે. તેઓ આદિવાસી સમાજના અગ્રણી ચહેરા છે અને ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેમની આ નિમણૂકથી વિધાનસભામાં કોંગ્રેસના અવાજને વધુ મજબૂતી મળશે અને આદિવાસી સમાજના મુદ્દાઓને યોગ્ય પ્લેટફોર્મ મળશે તેવી અપેક્ષા છે. આ બંને નિમણૂકો દ્વારા કોંગ્રેસ આગામી સમયમાં ગુજરાતમાં પોતાની સ્થિતિ વધુ સુદૃઢ કરવાનો પ્રયાસ કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 

વિડિઓઝ

Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
Embed widget