શોધખોળ કરો

Ahmedabad Corona Cases: અમદાવાદમાં કોરોનાનો તરખાટ, આજે 800થી વધુ કેસ નોંધાયા, 6 લોકોનાં મોત 

અમદાવાદમાં કોરોના વાયરસનો કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થયાનો દાવો કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેનડેન્ટ રાકેશ જોશીએ દાવો કર્યો છે કે, અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું છે.

અમદાવાદ:  રાજ્યમાં ફરી કોરોનાએ (Corona) તરખાટ મચાવ્યો છે. દરરોજ સતત રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ (Coronav Positive) કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેર Ahmedabad)માં પણ કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આજે 804 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 6 લોકોનાં મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 439 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. 
   

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન (Containment Zone)માં વધારો થઈ રહ્યો છે.  એક જ દિવસમાં 42 સ્થળ માઈક્રો કંટેઈનમેંટ ઝોનમાં મૂકાયા છે. જ્યારે જૂના 12 સ્થળોની બાદબાકી કરાઈ છે. આ સિવાય કોરોનાની વકરતી સ્થિતિને જોતા અમદાવાદની SVP હોસ્પિટલમાં વધુ 500 બેડ ઉભા કરાયા છે અને સમરસ હોસ્ટેલને ફરી કોવિડ સેંટર બનાવાશે.  


વધતા કોરોના સંક્રમણ અંગે માઠા સમાચાર એ છે કે, અમદાવાદમાં કોરોના વાયરસનો કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થયાનો દાવો કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેનડેન્ટ રાકેશ જોશીએ દાવો કર્યો છે કે, અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું છે. રાકેશ જોશીના જણાવ્યા અનુસાર હાલના તબક્કે સમગ્ર પરિવાર  કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે.. જેને લઈ કહી શકાય કે અમદાવાદમાં કોમ્યૂનિટી ટ્રાંસમિશન શરૂ થઈ ગયું છે. હાલમાં માસ્ક અને વેક્સીન જ કોરોના સામે રક્ષણ આપી શકશે.  વધુમાં તેઓએ જણાવ્યું કે, મંજુશ્રી મિલની કિડની હોસ્પિટલના 400 બેડ સારવાર માટે શરૂ કરાયા છે. જે 18 કલાકમાં 400 પૈકી 60 બેડ ભરાઈ ગયા છે, જો આવી રીતે સંક્રમણ વધતું રહેશે તો બે દિવસમાં હોસ્પિટલ ફૂલ થઈ જશે. 


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ ? 

રાજ્યમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. દિવસેને દિવસે કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 3575  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. આજે  2217 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 


રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. જેમાંથી 175 લોકો વેન્ટિલેટર પર અને 18509 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.90  ટકા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
Embed widget