![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Closed Live Update : કોંગ્રેસના બંધને ગુજરાતમાં કેવો મળ્યો પ્રતિસાદ? જાણો કયા શહેરમાં શું છે સ્થિતિ?
કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન અપાયું છે. બપોરના 12 વાગ્યા સુધી આંશિક બંધનું એલાન અપાયું છે.
LIVE
![Gujarat Closed Live Update : કોંગ્રેસના બંધને ગુજરાતમાં કેવો મળ્યો પ્રતિસાદ? જાણો કયા શહેરમાં શું છે સ્થિતિ? Gujarat Closed Live Update : કોંગ્રેસના બંધને ગુજરાતમાં કેવો મળ્યો પ્રતિસાદ? જાણો કયા શહેરમાં શું છે સ્થિતિ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/10/c8e4969301ebec518df06aec1d3df7f9166278129369973_original.jpg)
Background
અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન અપાયું છે. બપોરના 12 વાગ્યા સુધી આંશિક બંધનું એલાન અપાયું છે. કોંગ્રેસના આગેવાનોએ વેપારીઓને અને લોકોને બંધમાં જોડવા અપીલ કરી છે. લોકોને સ્વેચ્છાએ બંધમાં જોડાવા કોંગ્રેસે અપીલ કરી છે.
ગુજરાત બંધના પગલે કોલેજ બંધ કરાવાઈ છે. અમદાવાદમાં NSUI દ્વારા GLS યુનિવર્સિટીની કોલેજ બંધ કરાવાઈ છે. NSUIના કાર્યકરો દ્વારા શાળા કોલેજ બંધ કરાવવામાં આવી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડની અટકાયત કરાઈ છે. વિરમગામ પોલીસે અટકાયત કરી છે.
ગુજરાતમાં વર્ષોથી ધાકધમકીનું શાસનઃ જગદીશ ઠાકોર
ગુજરાત બંધના એલાન અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું કે, વેપારીઓ સારું સમર્થન આપી રહ્યા છે. ભાજપના આગેવાનો વેપારીઓને ધમકાવી રહ્યા છે. દુકાન બંધ રાખશો તો બીજા દિવસે સરકારી હેરાનગતિ માટે તૈયાર રહેજો તેવી ધમકી આપે છે. વેપારીઓને ધમકાવીને બંધને નિષ્ફળ રાખવાનો પ્રયાસ ભાજપ કરે છે. ગુજરાતમાં વર્ષોથી ધાકધમકીનું શાસન ચાલે છે.
ગુજરાતની જનતા, વેપારીઓ તમામનો આભાર માનું છું: સોલંકી
8થી12નો સાંકેતિક બંધનો કોલ આપ્યો હતો: સોલંકી
ગુજરાત બંધ મુદ્દે જીતુ વાઘાણી
આપ સૌ નાં ધ્યાન માં છે કોંગ્રેસ નું બંધ નિષ્ફળ છે . ગૂજરાત બિઝનેસ હબ બન્યું છે. ધંધાદારીઓ રોજગાર મેળવે છે. સત્તા માટે અરાજકતા ફેલાવી , તોફાનો કરાવવા તે કોંગ્રેસ ના નામે છે.
પ્રદેશ કોંગ્રેસના ગુજરાત બંધ એલાનને સાયલા તાલુકામાં સારો પ્રતિસાદ જોવા મળ્યો
પ્રદેશ કોંગ્રેસના ગુજરાત બંધ એલાનને સાયલા તાલુકામાં સારો પ્રતિસાદ જોવા મળ્યો. સાયલા ગામ સહિત આસપાસના ગામોમાં વેપારીઓ અને દુકાનદારોએ પોતાનો ધંધો અને રોજગાર સ્વયંભૂ બંધ રાખી સમર્થન આપ્યું. મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે.
અમી રાવત સહિતના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત
વડોદરા કોંગ્રેસનું આંશિક બંધ. નિઝામપુરા વિસ્તારમાં બંધ કરાવવા નીકળેલા વિપક્ષ નેતા અમી રાવત સહિતના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત
વિપક્ષ નેતા સુખરામ રાઠવાની અટકાયત.
વિપક્ષ નેતા સુખરામ રાઠવાની અટકાયત. કવાંટ ખાતે દુકાનો બંધ કરાવા નીકળતા પોલીસે કરી અટકાયત. વિપક્ષ નેતાના મત વિસ્તારમાં જ બજારો ખુલ્લા. જિલ્લામાં બંધને આંશિક પ્રતિસાદ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)