શોધખોળ કરો

Gujarat Corona update : ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2022 રદ, લોકોના આરોગ્યને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો

રાજ્ય સરકારને કોરોનાના કેસ વધતા સૌથી મોટી જાહેરાત કરી છે, અંતે રાજ્ય સરકારે સૌથી વધુ ચર્ચિત વાયબ્રન્ટ સમિટ 2022ને મોકૂફ કરી છે.

LIVE

Key Events
Gujarat Corona update : ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2022 રદ, લોકોના આરોગ્યને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો

Background

ગાંધીનગરઃ રાજ્ય સરકારને કોરોનાના કેસ વધતા સૌથી મોટી જાહેરાત કરી છે, અંતે રાજ્ય સરકારે સૌથી વધુ ચર્ચિત વાયબ્રન્ટ સમિટ 2022ને મોકૂફ કરી છે. ગુજરાતમાં કોરોનાના કેસો ધડાધડ વધી રહ્યા છે છતાં  ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ થઇ રહી હોવાથી રાજ્ય સરકારની આકરી ટીકા થઈ રહી હતી.  કોરોના વકરવાના ખતરાને અવગણીને ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ કરાઈ રહી હોવાનો મુદ્દો ચર્ચામાં હતો ત્યાં  કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા પાંચ અધિકારીઓ કોરોના સંક્રમિત થઈ જતાં ખળભળાટ મચ્યો હતો. આ તમામ અધિકારીનો કોરોના રીપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો.

કોરોનાગ્રસ્ત થયેલા રાજ્ય સરકારના પાંચ આઈએએસ અધિકારીઓમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તથા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકુમાર બેનિવાલ, જે.પી.ગુપ્તા અને હારિત શુક્લા પણ કોરોના પોઝિટિવ થયા છે. આ તમામ અધિકારીને કોરોના થતાં રાજ્ય સરકાર દોડતી થઈ હતી અને વધારે પ્રમાણમાં કોરોના ના ફેલાય એ માટે શું કરવં તેની ચર્ચા શરૂ થઈ હતી. આ ચર્ચાના અંતે વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. 

ગાંધીનગરમાં આગામી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસની દસમી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થવાનો હતો. આ ગ્લોબલ સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત  અન્ય દેશોના વડાપ્રધાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતા. આ ઉપરાંત દેશના ટોચના ઉદ્યોગપતિઓ તેમજ બિઝનેસમેન પણ હાજર રહેવાના હતા. 

16:22 PM (IST)  •  06 Jan 2022

અમદાવાદ કોરોના

અમદાવાદમાં કુલ 108 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન. 3 હજારથી વધુ લોકો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે. પેનિક કરવાની જરૂર નહીં, સતર્ક રહેવાની અમદાવાદ તંત્ર દ્વારા આપવામાં આવી સલાહ. 

16:20 PM (IST)  •  06 Jan 2022

ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ પછી વધુ એક મોટો કાર્યક્રમ કરી દીધો રદ

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને વાઇબ્રન્ટ સમિટ 2022 સ્થગિત કરી દીધો છે. આ સાથે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં દર વર્ષે યોજાતો ફ્લાવર શો પણ રદ કરી દેવામાં આવ્યો છે. 

15:17 PM (IST)  •  06 Jan 2022

સુરતની આ યુનિવર્સિટીમાં થયો કોરોના વિસ્ફોટ, એક સાથે 57 વિદ્યાર્થી કોરોના સંક્રમિત

સુરત ગ્રામ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં 57 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. પહેલા ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 488 વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા તમામને હોમ આઇસોલેટ કરાયા છે. તાત્કાલિક ધોરણે યુનિવર્સિટી પણ બંધ કરવામાં આવી છે.

15:17 PM (IST)  •  06 Jan 2022

નાઇટ કર્ફ્યૂને લઈ ભલામણ

રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર ન કરવા હોટલ એન્ડ રેસ્ટોરા એસોસિએશને માગણી કરી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને માગણી કરવામાં આવી છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરા એસોસિએશનની પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ પત્ર લખ્યો છે. રાત્રિ કરફ્યુ 11થી 5નો યથાવત રાખવા પત્ર લખ્યો છે. હોમ ડિલિવરી અને ટેક અવે રાત્રિના 1 વાગ્યા સુધી ચાલુ રાખવાની મંજૂરી માગી છે. સરકાર રાત્રિ કરફ્યુ વધારશે તો ભાડા અને લાઈટ બિલ ભરવા ભારે પડશે તેવો પત્રમાં દાવો કરાયો છે. 

13:31 PM (IST)  •  06 Jan 2022

વાઇબ્રન્ટ સમિટ

રાજ્યની જનતાના આરોગ્યની ચિંતા કરીને મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધોઃ જીતુ વાઘણી

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget