![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad Coronavirus Crisis: અમદાવાદના કયા વિસ્તારમાં 30 એપ્રિલ સુધી રહેશે લોકડાઉન, જાણો વિગતે
શહેરના સાબરમતી વિસ્તારમાં પણ તમામ દુકાનો બપોરના ત્રણ વાગ્યા બાદ બંધ રહેશે. દવાની દુકાનો સિવાય આખું બજાર આગામી 30 એપ્રિલ સુધી બપોરે ત્રણ પછી બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
![Ahmedabad Coronavirus Crisis: અમદાવાદના કયા વિસ્તારમાં 30 એપ્રિલ સુધી રહેશે લોકડાઉન, જાણો વિગતે Gujarat Lockdown: One more area of Ahmedabad impose slef lockdown till 30th april Ahmedabad Coronavirus Crisis: અમદાવાદના કયા વિસ્તારમાં 30 એપ્રિલ સુધી રહેશે લોકડાઉન, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/19/501f54e3929ec766588680ede2afb1df_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. જેના કારણે ત્યારે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ખાસ કરીને અમદાવાદ જેવા મહાગરોની સ્થિતિ કફોડી થઇ રહી છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વેપારો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેથી બજારો અને માર્કેટો બંધ થયા છે, ઉપરાંત અમદાવાદમાં પણ બે વિસ્તારોમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન કર્યુ છે.
શહેરના સાબરમતી વિસ્તારમાં પણ તમામ દુકાનો બપોરના ત્રણ વાગ્યા બાદ બંધ રહેશે. દવાની દુકાનો સિવાય આખું બજાર આગામી 30 એપ્રિલ સુધી બપોરે ત્રણ પછી બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. 19 એપ્રિલથી આ નિર્ણય લાગુ થશે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં લોકો અને વેપારીઓ હવે ધીમેધીમે સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધી રહ્યાં છે.
નરોડા વિસ્તારમાં 20 એપ્રિલથી ત્રણ દિવસ સુધી જરૂરી વસ્તુઓને છોડીને તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. નરોડા વેપારી ઓસોસિએશન તથા નરોડા ગ્રામજનો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દૂધ, દવા અને અન્ય જીવનરુરી વસ્તુને છોડીને અન્ય તમામ દુકાન બંધ રહેશે.
અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ
અમદાવાદ જિલ્લામાં છેલ્લા 18 દિવસમાં જ નવા 29 હજાર 587 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સરેરાશ દસ લાખની વસ્તીએ 13 હજાર 666 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુદર પણ 2.60 ટકા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ ગયા વર્ષે 18 માર્ચે નોંધાયો હતો અને 50 હજાર કેસ પૂરા થવામાં 257 દિવસ થયા હતા. આ પછી 50 હજારથી એક લાખ કેસ માત્ર 139 દિવસમાં જ નોંધાયા છે. ખાસ કરીને એપ્રિલ મહિનામાં કોરાનાનું સંક્રમણ એટલુ વધ્યુ કે સતત એક હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે.
માર્ચ 2020માં અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ ધીરે-ધીરે સ્થિતિ ગંભીર બનતી ગઈ. તંત્ર અને લોકો બેદકારીના કારણે સંક્રમણનું પ્રમાણ અન્ય શહેરોની સરખામણીએ ડબલ થવા લાગ્યું હતું. અમદાવાદમાં માત્ર 250 દિવસમાં જ કુલ કેસનો આંકડો 50 હજારને પાર થઈ ગયો હતો. ત્યારબાદ માત્ર 140 દિવસમાં કેસનો આંકડો 1 લાખને આંબી ગયો છે. જેમા સૌથી ખરાબ સ્થિતિ એપ્રિલમાં જોવા મળી રહી છે. અહીં છેલ્લા 18 દિવસમાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.
એપ્રિલથી કોરોનાના કેસમાં આવેલો તીવ્ર ઉછાળો રોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં જ શહેરમાં 12,355 નવા કેસ નોંધાયા છે, જ્યારે 104 દર્દીના મૃત્યુ થયા છે. એપ્રિલના પ્રારંભથી અત્યાર સુધીમાં લગભગ 30 હજાર કેસ આવી ચૂક્યા છે. સતત વધતા કેસથી ખાનગી હોસ્પિટલોના બેડ પણ 96થી 97 ટકા સુધી ભરાઈ ગયા છે. કોવિડની સારવાર કરતી શહેરની 159 ખાનગી હોસ્પિટલોના કુલ 864 આઈસીયુ બેડ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)