શોધખોળ કરો

MGNREGA scam: મનરેગા કૌભાંડમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ

MGNREGA scam: દાહોદ મનરેગા કૌભાંડને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીના પુત્રની આખરે ધરપકડ કરવામાં આવી છે.

MGNREGA scam: દાહોદ મનરેગા કૌભાંડને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીના પુત્રની આખરે ધરપકડ કરવામાં આવી છે. મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ થતા રાજકારણ ગરમાયું છે. તમને જણાવી દઈએ કે, મનરેગા કૌભાંડને લઈ વિપક્ષ પણ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું હતું. જે બાદ આખરે મંત્રી પુત્રની ધરપકડ કરવામાં આવી છે. બળવંત ખાબડની ધરપકડ થયાની પોલીસે  પુષ્ટિ કરી છે.

રાજ્ય સરકારના મંત્રીના પુત્રની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. મંત્રી બચુ ખાબડના પુત્રની દાહોદમાં પોલીસે ધરપકડ કરી છે. મનરેગા અંતર્ગત કામ કર્યા સિવાય 71 કરોડ ચાઉં કરવાનો આરોપ મંત્રી પુત્ર પર લાગ્યો છે. આ ઉપરાંત તત્કાલિન TDO દર્શન પટેલની પણ ધરપકડ  કરવામાં આવી છે. આરોપ છે કે, મનરેગા અંતર્ગતના કામો કર્યા સિવાય બિલો કરાયા હતા મંજૂર. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ  થઈ ચુકી છે. કિરણ અને બળવંત ખાબડે અગાઉ આગોતરા જામીન અરજી કરી હતી. સુનાવણીના એક દિવસ અગાઉ આગોતરા જામીન અરજી પાછી ખેંચી હતી. રાજ ટ્રેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન એજંસી મંત્રીના પુત્રોના નામે હતી. તમને જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યમંત્રી છે બચુભાઈ ખાબડ. બચુભાઈ ખાબડ દેવગઢ બારીયાથી ધારાસભ્ય છે.

શું હતો આખો મામલો?
નોંધનીય છે કે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા 71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના માત્ર ત્રણ ગામોમાં મનરેગા યોજનાનું મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં વર્ષ 2021થી 2024 સુધી મનરેગા યોજનામાં એલ 1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં અધધ 70 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલિભગતથી આ કૌભાંડ આચરાયુ હતુ. ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એ પટેલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, જિલ્લા પંચાયત તરફથી મનરેગાના કામોમાં તપાસના આદેશ મળતાં દેવગઢ બારિયા તાલુકાના કૂવા, રેઢાણા અને ધાનપુર તાલુકાના સીમામોઇ ગામે તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ તપાસ દરમિયાન સ્થળ તપાસણીમાં કેટલાંક કામો અપૂર્ણ જોવા મળ્યા હતાં. દેવગઢ બારિયા તાલુકાના બે ગામોમાં કરાયેલા કામોમાં 28 એન્જન્સીને 60,90,17331 રૂપિયા જ્યારે ધાનપુર તાલુાકામાં કરાયેલ કામોમાં 7 અનધિકૃત એજન્સીને 10,10,02,818 રૂપિયા વર્ષ 2021થી 24 દરમિયાન ખોટી રીતે ચૂકવ્યાનું જાણવા મળ્યું હતું.

પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આ મામલામાં ચાર કર્મચારની ઘરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કૌભાંડમા દેવગઢ બારીયાના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલીયાની ધરપકડ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !
Hun To Bolish : હું તો બોલીશ : આ ભેદભાવ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓની 'ડૉક્ટર બ્રિગેડ' !
Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, ભૂટાનથી પરત આવતા એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ 
દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, ભૂટાનથી પરત આવતા એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ 
નીતિન પટેલનો 'મોદીવાળો' અંદાજ: ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’, નામ લીધા વગર પૂર્વ મંત્રી બચુ ખાબડ પર....
નીતિન પટેલનો 'મોદીવાળો' અંદાજ: ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’, નામ લીધા વગર પૂર્વ મંત્રી બચુ ખાબડ પર....
બિહારમાં એનડીએની સરકાર જશે તો શેરબજારમાં આવશે સૌથી મોટો કડાકો, જાણો બજાર કેટલું ઘટી શકે છે
બિહારમાં એનડીએની સરકાર જશે તો શેરબજારમાં આવશે સૌથી મોટો કડાકો, જાણો બજાર કેટલું ઘટી શકે છે
Bihar Election: ચૂંટણી પરિણામ પહેલા જ તેજસ્વી યાદવે જણાવી શપથ ગ્રહણની તારીખ, ભાજપે કર્યો પલટવાર
Bihar Election: ચૂંટણી પરિણામ પહેલા જ તેજસ્વી યાદવે જણાવી શપથ ગ્રહણની તારીખ, ભાજપે કર્યો પલટવાર
Embed widget