શોધખોળ કરો

અમદાવાદમાં અહીંથી ઘી ખરીદતા હોય તો ચેતી જજો, અંબાજી પ્રસાદમાં ભેળસેળવાળુ ઘી વેચવાનો છે આરોપ

ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાસ વાત છે કે, ફૂડ વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા

અંબાજીમાં મંદિરમાં પ્રસાદમાં મળતો મોહનથાળ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ વખતે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ માંના દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ લીધો હતો, હવે આ મોહનથાળના પ્રસાદ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે. ખાસ વાત છે, જે ઘીના ડબ્બાના સેમ્પલ ફેઇલ થયા છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ સાથે છે. અંબાજીમાં માં અંબાના પ્રસાદમાં પણ ગોલમાલ થઇ હોવાની રાડ ઉઠી છે. મોહનથાળ માટે વપરાતા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે.

ઘી સપ્લાય કરનાર નીલકંઠ ટ્રેડર્સ સીલ

તો મોહનથાળના નકલી ઘીના ઉપયોગના કેસના ખુલાસામાં અમદાવાદમાં માધપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને સીલ કરવામાં આવ્યું છે. મોહિની કેટરસે પ્રસાદની માગને પહોંચી વળવા માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સમાં ઘીનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ મોડી રાત્રે ફૂડ એન્ડ આરોગ્ય વિભાગની ટીમ નીલકંઠ ટ્રેડર્સમાં ત્રાટકી અને સીલ માર્યુ છે.

મળતી માહિતી પ્રમાણે, અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાસ વાત છે કે, ફૂડ વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ફૂડ વિભાગે અહીંથી 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા, અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયા હતા, જે સેમ્પલ ફેઇલ થયા છે. મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે. પ્રસાદ તૈયાર કરનાર મોહિની કેટરર્સ પર ગંભીર આરોપ લાગ્યા છે. મોહનથાળના પ્રસાદમાં વપરાયેલા ઘી પર સવાલો ઉઠ્યા છે. પ્રસાદમાં વપરાયેલ ઘીના સેમ્પલ થયા ફેઈલ થયા છે.

ભાદરવી પૂનમના મેળા પહેલાં ફૂડ વિભાગે અંબાજી મંદિરના ભોજનાલયમાં પ્રસાદના સ્થળેથી ઘીના સેમ્પલ લીધા હતા. જે બાદ રિપોર્ટમાં ખુલાસો થયો કે ઘીમાં ભેળસેળ હતી. અંબાજી મંદિરમાં મોહનથાળના આ પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને અપાયો હતો. મોહિની કેટરર્સના સંચાલક પ્રમાણે અમૂલના લોગોવાળું ઘી અમદાવાદથી લાવવામાં આવ્યું હતું. ઘી શંકાસ્પદ લાગતા તેનો ઉપયોગ નહોતો કરાયો અને બાદમાં બનાસ ડેરીમાંથી ઘી લવાયું હતું.  સંચાલકે તો દાવો કર્યો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે  કેમ કે તેમને જ નકલી ઘી પધરાવી દેવામાં આવ્યું હતું.  તો આ અંગે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના કમિશ્નર ડૉ. હેમંત કોશિયાના જણાવ્યા પ્રમાણે મોહિની કેટરર્સે જ સસ્તાની લ્હાયમાં ભેળસેળિયું ઘી લીધું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Score Live : પાકિસ્તાને ભારતને 242 રનનો ટાર્ગેટ આપ્યો, કુલદીપ યાદવની ત્રણ વિકેટ
IND vs PAK Score Live : પાકિસ્તાને ભારતને 242 રનનો ટાર્ગેટ આપ્યો, કુલદીપ યાદવની ત્રણ વિકેટ
IND vs PAK: ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે જીતવા 242 રનનો લક્ષ્યાંક,  કુલદીપનો કહેર
IND vs PAK: ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે જીતવા 242 રનનો લક્ષ્યાંક, કુલદીપનો કહેર
લીંબડી રાજકોટ હાઈવે પર કાળો કેર: ડમ્પર અને મીની બસ વચ્ચે ભયાનક અકસ્માતમાં ૫ લોકોના કમકમાટીભર્યા મોત
લીંબડી રાજકોટ હાઈવે પર કાળો કેર: ડમ્પર અને મીની બસ વચ્ચે ભયાનક અકસ્માતમાં ૫ લોકોના કમકમાટીભર્યા મોત
IND vs PAK મેચમાં ગુજરાતી ત્રિપુટીનો તરખાટ: હાર્દિક, અક્ષર અને જાડેજાના શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાન હાંફી ગયું
IND vs PAK મેચમાં ગુજરાતી ત્રિપુટીનો તરખાટ: હાર્દિક, અક્ષર અને જાડેજાના શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાન હાંફી ગયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Mega Horse Show : બનાસકાંઠાના લાખણીના જસરામાં આજથી અશ્વમેળાનો થયો પ્રારંભSurat Accident News: સુરત જિલ્લામાં ફરી એકવાર બેફામ ડમ્પરના આતંકથી મહિલાએ ગુમાવ્યો જીવPM Modi Surat Visit : લોકસભામાં જીત બાદ પહેલીવાર સુરત આવશે PM મોદી, જુઓ શું છે કાર્યક્રમ?Bhikhusinh Parmar : મંત્રી ભીખુસિંહના પુત્રોએ જાહેરમાં કરી મારામારી, વીડિયો વાયરલ થતાં મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Score Live : પાકિસ્તાને ભારતને 242 રનનો ટાર્ગેટ આપ્યો, કુલદીપ યાદવની ત્રણ વિકેટ
IND vs PAK Score Live : પાકિસ્તાને ભારતને 242 રનનો ટાર્ગેટ આપ્યો, કુલદીપ યાદવની ત્રણ વિકેટ
IND vs PAK: ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે જીતવા 242 રનનો લક્ષ્યાંક,  કુલદીપનો કહેર
IND vs PAK: ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે જીતવા 242 રનનો લક્ષ્યાંક, કુલદીપનો કહેર
લીંબડી રાજકોટ હાઈવે પર કાળો કેર: ડમ્પર અને મીની બસ વચ્ચે ભયાનક અકસ્માતમાં ૫ લોકોના કમકમાટીભર્યા મોત
લીંબડી રાજકોટ હાઈવે પર કાળો કેર: ડમ્પર અને મીની બસ વચ્ચે ભયાનક અકસ્માતમાં ૫ લોકોના કમકમાટીભર્યા મોત
IND vs PAK મેચમાં ગુજરાતી ત્રિપુટીનો તરખાટ: હાર્દિક, અક્ષર અને જાડેજાના શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાન હાંફી ગયું
IND vs PAK મેચમાં ગુજરાતી ત્રિપુટીનો તરખાટ: હાર્દિક, અક્ષર અને જાડેજાના શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાન હાંફી ગયું
રાજકોટ સમૂહ લગ્ન છેતરપિંડી: આયોજક ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદને પણ ન છોડ્યા, કરિયાવરના નામે મિક્સર પડાવ્યા
રાજકોટ સમૂહ લગ્ન છેતરપિંડી: આયોજક ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદને પણ ન છોડ્યા, કરિયાવરના નામે મિક્સર પડાવ્યા
Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ
Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ
Munawar Faruqui: મુનવર ફારુકીના હફ્તા વસુલી વિરુદ્ધ ફરિયાદ દાખલ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Munawar Faruqui: મુનવર ફારુકીના હફ્તા વસુલી વિરુદ્ધ ફરિયાદ દાખલ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
BSNL ના ત્રણ પ્લાને ખાનગી કંપનીઓની ઊંઘ ઉડાડી, કરોડો યુઝર્સેને પડી ગઈ મોજ
BSNL ના ત્રણ પ્લાને ખાનગી કંપનીઓની ઊંઘ ઉડાડી, કરોડો યુઝર્સેને પડી ગઈ મોજ
Embed widget