શોધખોળ કરો

નીતિન પટેલે સાંસદ કાછડિયાના આક્ષેપોનો આપ્યો જવાબ, સૌની યોજના વિશે શું કહ્યું?

સૌની યોજનાના આરોપ પર કહ્યું હતું કે,  સિંચાઈ વિભાગની જવાબદારી મારી પાસે નહોતી. સૌની યોજનાની જવાબદારી સિંચાઈ વિભાગ હેઠળ આવે છે . નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌની યોજનાની જાહેરાત કરી હતી.

અમદાવાદઃ ભાજપના સાંસદ નારણ કાછડિયાએ લગાવેલા આક્ષેપો મુદ્દે નીતિન પટેલે મૌન તોડ્યું છે. તેમણે નિવેદન આપ્યું હતું કે, 2 દિવસથી સમાચાર માધ્યમોમાં મેં સમાચાર જોયા. નારણ કાછડીયા અમારા સિનિયર સાંસદ છે. પોતાના વિસ્તારના કામ માટે મારે ત્યાં મુલાકાત લેતા હતા. તમામ ધારાસભ્યો, ચૂંટાયેલા નેતાઓ અમારે ત્યાં આવતા હોય છે. નાણામંત્રી, માર્ગ મકાન, આરોગ્ય મંત્રી તરીકે મેં કામ કર્યું છે. હું અને ભુપેન્દ્રસિંહ વરિષ્ઠ મંત્રીઓ હતા. બધાને ખ્યાલ છે કે મારે ત્યાં 500 થી 700 લોકો મુલાકાત લેતા હતા, જેમાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ પણ આવતા હતા.

તેમણે કહ્યું હતું કે, મને નથી ખબર કે તેમણે કેમ આમ કહ્યું. કોઈ કારણ નહોતું કે કોઈ ઘટના નહોતી કે તેમણે મીડિયામાં કઈં કહેવું પડે. મહેસાણામાં કિધેલી વાતનો તેમણે કેમ ઉલ્લેખ કર્યો એ મને સમજાતું નથી. સૌની યોજનાના આરોપ પર કહ્યું હતું કે,  સિંચાઈ વિભાગની જવાબદારી મારી પાસે નહોતી. સૌની યોજનાની જવાબદારી સિંચાઈ વિભાગ હેઠળ આવે છે . નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌની યોજનાની જાહેરાત કરી હતી. જાહેરાત વખતે હું સિંચાઈ મંત્રી હતો અને ફેઝ 1 નું કામ તે વખતે કરેલું. નરેન્દ્રભાઈએ રાજકોટથી યોજનાની શરૂઆત કરાવી હતી. ત્યાર બાદ બાબુ બોખીરિયા, નાનું વાનાણી સિંચાઈ મંત્રી હતા.

છેલ્લા 5 વર્ષથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે સિંચાઈ વિભાગ હતો. સાવરકુંડલા માટે બાયપાસ મેં મંજુર કર્યો હતો. તેનું મોટા ભાગનું કામ થઈ ચૂક્યું છે, પણ રેલવેના કારણે કામ અટકેલું છે. તેના માટે મેં નારણ કાછડીયાને કહ્યું હતું કે કેન્દ્રમાં રજુઆત કરો. મેં પણ પત્ર લખીને રજુઆત કરી હતી, પણ હજુ સુધી ફાટકની મંજૂરી નથી આવી અને આ કામ ઝડપી કરાવવાની જવાબદારી સાંસદ નારણ કાછડીયાની છે. સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન જરૂરી છે. યોજનાઓના અમલીકરણની જવાબદારી અધિકારીઓની હોય છે. કોરોના મૃતકોના પરિજનોને સહાય મામલે કહ્યું હતું કે, આખી મેટર સુપ્રીમ કોર્ટમાં છે. મને સમાચાર માધ્યમોથી વિગતો મળી છે. કોર્ટ મામલે આ અંગે સુનાવણી કરશે. ચુકાદા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારો તેનો અમલ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Gandhinagar: ઘરવિહોણા કુટુંબોને ઘર બાંધવાની સહાયને લઈ જાહેરાત સરકારે કરી મોટી જાહેરાત
Gandhinagar: ઘરવિહોણા કુટુંબોને ઘર બાંધવાની સહાયને લઈ જાહેરાત સરકારે કરી મોટી જાહેરાત
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Embed widget