શોધખોળ કરો

પંજાબ બાદ ગુજરાત સર કરવાની AAPની તૈયારી, આ તારીખે કેજરીવાલ અમદાવાદમાં કરશે રોડ શો

આમ આદમી પાર્ટી હવે દિલ્હીથી બહાર નિકળી પોતાનું વિસ્તરણ કરી રહી છે. દિલ્હી મોડેલથી આકર્ષિત થઈને પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને સત્તાની ચાવી સોપી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીને 117માંથી 92 વિધાનસભા બેઠકો જીતી છે.

અમદાવાદ: આમ આદમી પાર્ટી હવે દિલ્હીથી બહાર નિકળી પોતાનું વિસ્તરણ કરી રહી છે. દિલ્હી મોડેલથી આકર્ષિત થઈને પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને સત્તાની ચાવી સોપી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીને 117માંથી 92 વિધાનસભા બેઠકો પર જીત મળી છે. હવે પજાબમાં મળેલી બમ્પર જીતને લઈને કેજરીવાલનો પ્લાન ગુજરાત સર કરવાનો છે. નોંધનિય છે કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 2જી એપ્રિલના રોજ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા સીએમ ભગવંત માન અમદાવાદમાં રોડ શો કરશે. આ રોડ શોની શરૂઆત બપોરે 3 વાગેથી બાપુનગરના આંબેડકર હોલથી ખાતેથી થશે અને નિકોલમાં આવેલા ખોડીયાર માતાના મંદિરે રોડ શો પૂર્ણ થશે. આ રોડ શો ડાયમંડ માર્કેટ, ઠક્કરબાપાનગર અને જીવણવડી વિસ્તારમાંથી પસાર થશે. રોડ શો પૂર્ણ થયા બાદ જાહેર સભા યોજાશે જેમા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલ સંબોધન કરશે.

પંજાબમાં 25 હજાર નોકરીની જાહેરાત

Punjab Cabinet: પંજાબની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને શાનદાર જીત મળી હતી. ત્યારે આજે નવ નિર્મિત સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં સીએમ ભગવંત માને 25 હજાર નોકરીઓ આપવાની જાહેરાત કરી છે. તેમણે બેરોજગારી દૂર કરવા માટે વધુંમાં વધુ નોકરી આપવાનું વચન આપ્યું છે. આ જાહેર કરેલી નોકરીઓમાં 10 હજાર નોકરીઓ પોલીસ વિભાગમા છે જ્યારે 15 હજાર નોકરીઓ બીજી અલગ અલગ વિભાગમાં છે.

 

કેબિનેટે લીધેલા નિર્ણય મુજબ એક મહિનામાં આ નોકરીઓ બહાર પાડવામાં આવશે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ જે વચનો આપ્યા છે તેમા સરકારી શાળાઓ અને હોસ્પિટલોની સ્થિતિ સુધારવી, યુવાનોને નોકરી આપવી આ ઉપરાંત 300 યૂનિટ વીજળી ફ્રી આપવાની વાત સામેલ છે. એટલું જ નહીં અરવિંદ કેજરીવાલે પંજાબમાં 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને 1 હજાર રૂપિયા આપવાનો પણ વાયદો કર્યો હતો. સાથે સાથે પંજાબમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર અને ડ્રગ્સના દુષણને દૂર કરવાનો પણ વાયદો કર્યો હતો.

આ પહેલા પંજાબના નવા સીએમ માને જાહેરાત કરી હતી કે 23 માર્ચના રોજ શહીદ દિવસ પર રાજ્યમાં એક ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવશે. માને કહ્યું કે લોકો વ્હોટ્સએપના માધ્યમથી ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ કરી શકશે. આ પહેલા માને 16 માર્ચના રોજ સીએમ તરીકેના શપથ લીધા હતા. આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 92 બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
TECH EXPLAINED: શું હોય છે VPN? જાણો તે કેવી રીતે કરે છે કામ અને તેને ટ્રેક કરવું કેમ છે મુશ્કેલ
TECH EXPLAINED: શું હોય છે VPN? જાણો તે કેવી રીતે કરે છે કામ અને તેને ટ્રેક કરવું કેમ છે મુશ્કેલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતમાં પોષણની કમી કેમ ?
Hun To Bolish | હું તો બોલીશ | દબાણ હોય તો હટવું જ જોઈએ
Ahmedabad Demolition News : અમદાવાદના મોટેરામાં પ્રશાસને ફેરવ્યું દબાણો પર બુલડોઝર
Cylcone Ditwah Update: દિત્વાહ વાવાઝોડાની ભારતમાં કેટલી અસર? સમજો વિન્ડીની મદદથી
Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
TECH EXPLAINED: શું હોય છે VPN? જાણો તે કેવી રીતે કરે છે કામ અને તેને ટ્રેક કરવું કેમ છે મુશ્કેલ
TECH EXPLAINED: શું હોય છે VPN? જાણો તે કેવી રીતે કરે છે કામ અને તેને ટ્રેક કરવું કેમ છે મુશ્કેલ
બેંક એકાઉન્ટ બંધ કરતી વખતે ન કરો આ 3 ભૂલ, નહીં તો પછતાવાનો આવશે વારો
બેંક એકાઉન્ટ બંધ કરતી વખતે ન કરો આ 3 ભૂલ, નહીં તો પછતાવાનો આવશે વારો
રવિવારનું વ્રત કરતા હોય તો ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો સૂર્યદેવ થશે નારાજ, જાણો પૂજા પદ્ધતિ
રવિવારનું વ્રત કરતા હોય તો ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો સૂર્યદેવ થશે નારાજ, જાણો પૂજા પદ્ધતિ
વધુ એક યુદ્ધના ભણકારાઃ પહેલા હુમલાની ધમકી, હવે હવાઈ ક્ષેત્ર બંધ...  ડોનાલ્ડ ટ્રમ્પ આ દેશમાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે?
વધુ એક યુદ્ધના ભણકારાઃ પહેલા હુમલાની ધમકી, હવે હવાઈ ક્ષેત્ર બંધ... ડોનાલ્ડ ટ્રમ્પ આ દેશમાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે?
SIR Form Correction: શું SIR ફોર્મમાં ભૂલ થઈ ગઈ? ગભરાશો નહીં! સબમિટ થયા પછી પણ આ રીતે થશે સુધારો
SIR Form Correction: શું SIR ફોર્મમાં ભૂલ થઈ ગઈ? ગભરાશો નહીં! સબમિટ થયા પછી પણ આ રીતે થશે સુધારો
Embed widget