શોધખોળ કરો

પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, સરકારી પૈસાથી થઈ રહ્યો છે ભાજપનો પ્રચાર

જગદીશ ઠાકોરે પીએમના પ્રવાસને લઈને મોટું નિવેદન આપ્યું છે. દાહોદમાં આજે 40 વિધાનસભાની બેઠક બોલાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, PM આવી રહ્યા છે ત્યાં 500થી 700 વીઘા જમીનમાં તૈયારી થઈ રહી છે.

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પીએમ મોદીના પ્રવાસને લઈને મોટું નિવેદન આપ્યું છે. દાહોદમાં આજે 40 વિધાનસભાની બેઠક બોલાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન આવી રહ્યા છે ત્યાં 500થી 700 વીઘા જમીનમાં તૈયારી થઈ રહી છે. વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે ત્યારે 15 દિવસથી સરકારી પ્રશાસન ઠપ્પ છે. 15 દિવસથી લોકોના પ્રશ્નોને બાજુએ મૂકી જલસામાં સરકાર વ્યસ્ત છે. દાહોદમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને જૂનાગઢ, જામનગરથી લોકોને બોલાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર નહિ સરકારી અધિકારી કામે લાગ્યા છે.

આ કાર્યક્રમ પાછળ સરકાર ગુજરાતીઓના ટેક્સના 125 કરોડ રૂપિયાનો ધુમાડો કરી રહી છે. આટલા રૂપિયામાં હોસ્પિટલ, શાળા અને પાણીની સમસ્યા પાછળ ખર્ચી શક્યા હોત. તેમણે એવી પણ ટકોર કરી કે, પ્રધાનમંત્રી આપ ગુજરાત આવી છો ત્યારે 100 કિમીના વિસ્તારના કોંગ્રેસના કાર્યકરોને નજરકેદ કેમ કરો છો. પ્રજા ભાજપની સરકારથી વિમુખ થઈ છે. આદિવાસી લોકો તમારી સાથે નથી તેવા આક્ષેપો પણ જગદીશ ઠાકોરે કર્યા હતા.

તો બીજી તરફ  પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્માએ પણ નિવેદન આપ્યું છે. દાહોદમાં PMના કાર્યક્રમ પાછળ વધુ ખર્ચો કરવામાં આવી રહ્યો છે. ગુજરાત પર 3 લાખ 8 હજાર કરોડનું દેવું છે. આગામી 7 વર્ષમાં 1 લાખ 87 હજાર કરોડ રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે. રધુ શર્માએ સવાલ કર્યો કે, આટલો ખર્ચ કર્યા બાદ સામે ગુજરાતની પ્રજાને શું આપશો. સરકારી રૂપિયે પોતાના પક્ષનો પ્રચાર ન કરવો જોઈએ.

આવતીકાલથી વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. આવતીકાલે પીએમ મોદી સાંજે સાડા પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યારબાદ 6થી 7 વાગ્યાની વચ્ચે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. જે બાદ રાત્રી રોકાણ રાજ ભવનમાં કરશે. બીજા દિવસે એટલે કે 19 તારીખે ગાંધીનગર હેલિપેડથી બનાસકાંઠાની મુલાકાત લેશે. જ્યાં બનાસડેરીમાં વિવિધ પ્રોજેક્ટોનું ખાત મૂહૂર્તે કરશે અને મહિલા પશુપાલકોના સંમેલનમાં સંબોધન કરશે. ત્યાંથી જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. એક હજાર કરોડના ખર્ચે આ સેંટરનું નિર્માણ થશે. તો 20 એપ્રિલે પીએમ મોદી દાહોદ અને પંચમહાલના અલગ અલગ પ્રોજેક્ટના ખાતમૂહૂર્ત કરશે. બપોરે 2 વાગ્યે રાજભવનથી દાહોદ જવા રવાના થશે. દાહોદમાં 3.30થી 4.30 સુધીના કાર્યક્રમમાં હાજર રહેશે. જે બાદ દાહોદ હેલિપેડથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્લી જવા રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે જામનગરની મુલાકાત લેશે. તેને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 19 એપ્રિલે પીએમ મોદી વિશ્વના પ્રથમ આયુર્વેદ રિસર્ચ સેંટરનું ભૂમિપુજન કરશે અને જામનગરમાં બપોરના 1થી 5 એમ 4 કલાક રોકાણ કરશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યાં ભૂમિપુજન થવાનું છે ત્યાં જિલ્લા કલેક્ટર, એસપી , કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઈ સુરક્ષાની સમીક્ષા કરી હતી. સ્થળ પર જરૂરી વ્યવસ્થાઓ માટે લગતી વિભાગોને સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોરેશિયસના પ્રધાનમંત્રી, વિશ્વ આરોગ્ય સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર, રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓ, વિવિધ દેશના ડેલિગેટસ આવશે. વડાપ્રધાન મોદીની સુરક્ષા બંદોબસ્તમાં 7 એસપી, 22 ડીવાયએસપી, 60 પીઆઈ, 150 પીએસઆઈ, 1 હજાર જેટલા પોલીસ જવાનોનો કાફલો તૈનાત રહેશે. વડાપ્રધાનના રૂટ અને કાર્યક્રમના સ્થળ પર રાઉંડ ધી ક્લોક પેટ્રોલિંગ પોઈંટ પર જવાનો તૈનાત કરવામાં આવશે. પ્રધાનમંત્રીના રૂટ પર મહાકાળી સર્કલથી સમર્પણ સર્કલ સુધી બંને તરફ બેરીકેટ લગાવવામાં આવ્યા છે. જેની બંને તરફ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉભા રહી વડાપ્રધાનનું અભિવાદન કરશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget