વ્હીકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત, મહિલાઓની સુરક્ષા માટે નિર્ણય
ટેક્સી અને પેસેન્જર વાહનોમાં હવે લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ લગાવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

ટેક્સી અને પેસેન્જર વાહનોમાં હવે લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ લગાવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. મુસાફરોની સુરક્ષા, ખાસ કરીને મહિલાઓ અને એકલ-દોકલ પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. તમામ નવી ટેક્સી અને ચાર પૈડાંના પેસેન્જર વાહનોમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ ઇન્સ્ટોલેશન કર્યા વિના આરટીઓ પાર્સિંગ કે રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં.
આ નિયમ 2019થી અમલી હતો પરંતુ તેનો અસરકારક અમલ ન થતા મંત્રાલયે હવે ફાઈનલ રિમાઇન્ડર જાહેર કર્યું છે. નવા વાહનો અને જૂના વાહનો માટે 1 એપ્રિલ 2026 સુધીની મુદત નક્કી કરવામાં આવી છે. નિર્ધારિત સમય મર્યાદા બાદ જે વાહનોમાં આ ડિવાઈસ નહીં હોય, તેમનું ફ્ટિનેસ સર્ટિફિકેટ કે પાસિંગ અટકાવી દેવામાં આવશે. સરકારે નિયુક્ત કરવામાં આવેલી એજન્સીઓ વાહન ડીલરોના સંપર્કમાં રહીને આ ડિવાઇસ ઇન્સ્ટોલ કરશે. ઈન્સ્ટોલેશન બાદ એજન્સી તરફથી જે સર્ટિફિકેટ આપવામાં આવશે, તેને પરિવહન વિભાગના ‘વાહન પોર્ટલ' પર અપલોડ કરવાનું રહેશે. ડિજિટલ પ્રોસેસ પૂર્ણ થયા બાદ જ આરટીઓ વાહનનું રજિસ્ટ્રેશન માન્ય રાખવામાં આવશે. મુસાફરો સાથે થતી છેડતી, લૂંટફાટ કે અણબનાવના કિસ્સામાં આ GPS આધારિત ડિવાઈસ આશીર્વાદરૂપ સાબિત થશે. મુસાફરો કટોકટીના સમયે તેમનું ચોક્કસ લોકેશન સત્તાવાળાઓ કે સ્વજનોને મોકલી શકશે, જેનાથી ગુનાખોરી ડામવામાં મદદ મળશે.
1 જાન્યુઆરી 2026થી તમામ નવી ટેક્સી અને પેસેન્જર વાહનો (બસ, લક્ઝરી બસ વગેરે)માં વ્હિકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ (VLTD) ઇન્સ્ટોલેશન વિના આરટીઓ પાર્સિંગ કે રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. નિવૃત્ત આરટીઓ અધિકારીના જણાવ્યા મુજબ, આ નિયમ 2019થી અમલી હતો, પરંતુ તેનો અસરકારક અમલ ન થતા મંત્રાલયે હવે ફાઈનલ રિમાઇન્ડર જાહેર કર્યું છે. નવા વાહનો માટે 1 જાન્યુઆરી 2026 અને જૂના વાહનો માટે 1 એપ્રિલ 2026 સુધીની મુદત નક્કી કરવામાં આવી છે. નિર્ધારિત સમય મર્યાદા બાદ જે વાહનોમાં આ ડિવાઈ સ નહીં હોય, તેમનું ફ્ટિનેસ સર્ટિફિકેટ કે પાસિંગ અટકાવી દેવામાં આવશે. સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી એજન્સીઓ વાહન ડીલરોના સંપર્કમાં રહીને આ ડિવાઇસ ઇન્સ્ટોલ કરશે. ઈન્સ્ટોલેશન બાદ એજન્સી દ્વારા જે સર્ટિફિકેટ આપવામાં આવશે, તેને પરિવહન વિભાગના ‘વાહન પોર્ટલ' પર અપલોડ કરવાનું રહેશે. આ ડિજિટલ પ્રોસેસ પૂર્ણ થયા બાદ જ આરટીઓ દ્વારા વાહનનું રજિસ્ટ્રેશન માન્ય રાખવામાં આવશે.
સુભાષબ્રિજ આરટીઓ કચેરીના સૂત્રોના અનુસાર, મુસાફરો સાથે થતી છેડતી, લૂંટફાટ કે અણબનાવના કિસ્સામાં આ GPS આધારિત ડિવાઈસ આશીર્વાદરૂપ સાબિત થશે. મુસાફરો કટોકટીના સમયે તેમનું ચોક્કસ લોકેશન સત્તાવાળાઓ કે સ્વજનોને મોકલી શકશે, જેનાથી ગુનાખોરી ડામવામાં મદદ મળશે.























