શોધખોળ કરો

રણજિત હત્યાકાંડ કેસમાં ગુરૂમીત રામ રહિમને મોટી રાહત, હોઇકોર્ટે કર્યાં નિર્દોષ જાહેર, 22 વર્ષ પહેલા થઇ હતી હત્યા

22 વર્ષ પહેલા રણજિત સિંહની ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. જેમાં કોર્ટે ગુરમીત રામ રહિમને નિર્દોષ જાહેર કર્યાં છે.

Gurmeet Ram Rahim Singh News: જુલાઈ 2002માં ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ગુરમીત રામ રહીમને (Gurmeet Ram Rahim) સજા સંભળાવવામાં આવી હતી. હવે તેને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે.

 ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આજે (મંગળવાર, 28 મે) ડેરા મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. હાઈકોર્ટે અન્ય ચાર આરોપીઓને પણ નિર્દોષ જાહેર કર્યા છે.

 2021માં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે રામ રહીમ અને અન્ય ચારને આજીવન કેદની સજા સંભળાવી હતી. 10 જુલાઈ 2002ના રોજ કુરુક્ષેત્રના ખાનપુર કોલિયામાં રણજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

 ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમે સીબીઆઈ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આજે હાઈકોર્ટના જસ્ટિસ સુરેશ્વર ઠાકુર અને જસ્ટિસ લલિત બત્રાની ડિવિઝન બેન્ચે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

જેલમાંથી બહાર આવી શકશે નહીં

 રામ રહીમ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા અને બળાત્કારના કેસમાં દોષી છે. આ સિવાય તેની સામે ઘણા કેસ પેન્ડિંગ છે. રામ રહીમે બળાત્કાર અને છત્રપતિ હત્યા કેસ પર નીચલી કોર્ટના નિર્ણયને પણ હાઈકોર્ટમાં પડકાર્યો છે અને આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં તે જેલમાંથી બહાર નહીં આવી શકે તે સ્પષ્ટ છે. રામ રહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.

 કોર્ટે નિર્ણયમાં શું કહ્યું?

18 ઓક્ટોબર, 2021ના રોજ પંચકુલાની વિશેષ CBI કોર્ટે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ અને અન્ય ચારને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ કેસના અન્ય આરોપીઓમાં અવતાર સિંહ, કૃષ્ણ લાલ, જસબીર સિંહ અને સબદિલ સિંહ હતા. કેસની સુનાવણી દરમિયાન એક આરોપીનું મોત થયું હતું. સીબીઆઈ જજે રામ રહીમ પર 31 લાખ રૂપિયા, સબદીલ પર 1.50 લાખ રૂપિયા અને જસબીર અને કૃષ્ણા પર 1.25-1.25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

 પંચકુલા સીબીઆઈ કોર્ટે કહ્યું હતું કે, એ વાતમાં કોઈ શંકા નથી કે ગુરમીત રામ રહીમ ડેરા સાધ્વીઓના જાતીય શોષણના ગંભીર આરોપો ધરાવતા અનામી પત્રથી વધુ ચિંતિત છે. રણજિત સિંહને એક અનામી પત્ર સાર્વજનિક કરવામાં તેમની શંકાસ્પદ ભૂમિકાને કારણે ડેરામાંથી દૂર કરવામાં આવ્યો હતો જેમાં ડેરાના વડાએ મહિલાઓનું જાતીય શોષણ કેવી રીતે કર્યું હતું તેની વિગતો દર્શાવી હતી.

એક અનામી સાધ્વીએ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીને પત્ર લખ્યો. પત્રમાં રામ રહીમની તપાસની માંગ કરવામાં આવી છે. ડેરા મેનેજમેન્ટને શંકા છે કે રણજિત સિંહે તેની બહેનને સાધ્વીના યૌન શોષણનો અનામી પત્ર લખવા માટે મળી હતી.

 આ એ જ અનામી પત્ર છે જે સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિએ તેમના સાંજના અખબાર ‘પુરા સચ’માં પ્રકાશિત કર્યો હતો. જેના કારણે 24 ઓક્ટોબર 2002ના રોજ પત્રકાર રામચંદ્ર છત્રપતિ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને ગોળીઓથી  છલી કરી  દેવામાં આવ્યા હતા. રામચંદ્રનું 21 નવેમ્બર 2002ના રોજ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં અવસાન થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
Embed widget