શોધખોળ કરો

Aadhaar Card: ખાનગી સંસ્થાઓ પણ આ કામોમાં આધારનો ઉપયોગ કરી શકશે, નિયમોમાં થશે ફેરફાર

Aadhaar Authentication: ટૂંક સમયમાં ભારતમાં, સરકારી સંસ્થાઓની સાથે, બિન સરકારી સંસ્થાઓ પણ આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરી શકશે. સરકાર આ માટે નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.

Aadhaar Authentication: કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. પરંતુ હવે સરકારી કચેરી સિવાય ખાનગી સંસ્થાઓ (Non-Government Organisation) દ્વારા ઓથેન્ટિકેશન માટે આધારનો ઉપયોગ કરવાના નિયમો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ મામલે 5 મે 2023 સુધી લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. હાલમાં આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જ કરવામાં આવે છે, પરંતુ નિયમોમાં ફેરફાર બાદ ખાનગી સંસ્થાઓ પણ ઓથેન્ટિકેશન માટે આધારનો ઉપયોગ કરી શકશે.

સરકારનો હેતુ શું છે

આ નિર્ણય પાછળ કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય એ છે કે આનાથી લોકોનું જીવન સરળ બને અને દરેક વ્યક્તિ સુધી સેવાઓ સુલભ બને, જેના કારણે તેનું જીવન સારું બને. કેન્દ્ર સરકારે આ ડ્રાફ્ટ તમામ બિન-સરકારી સંસ્થાઓને મોકલ્યો છે જેઓ આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવા માંગે છે. આ અંગે તેમની પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે, જેને ફરીથી ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને મોકલવામાં આવશે.

તમે ક્યાં સુધી સલાહ આપી શકો છો

નોંધપાત્ર વાત એ છે કે એનજીઓ તેમની સલાહ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને મોકલશે. આ સાથે જ આધાર સાથે સંબંધિત પ્રસ્તાવિત ફેરફારો ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાશે. બિન-સરકારી સંસ્થાઓ ઉપરાંત, સામાન્ય લોકો પણ તેમની સલાહ આપી શકે છે. તમામ સલાહ મે 2023 સુધી લેવામાં આવશે. આ પછી કરવામાં આવેલા ફેરફારોને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવશે.

આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે

બદલાતા સમય સાથે આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. શાળા, કોલેજમાં એડમિશનથી લઈને મુસાફરી સુધીના તમામ કામ માટે આધાર જરૂરી છે. આ સાથે કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આધારની પ્રમાણિકતા જરૂરી છે. જો કેન્દ્ર સરકાર નિયમોમાં ફેરફાર કરશે તો હવે ખાનગી સંસ્થાઓ પણ આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરી શકશે.

આધાર કાર્ડ વિશ્વનું સૌથી મોટું બાયોમેટ્રિક ઓળખ કાર્ડ છે. જેમાં વ્યક્તિ સાથે જોડાયેલી તમામ મહત્વપૂર્ણ માહિતી સામેલ છે. આ માહિતીના કારણે તમામ રાજ્ય અને કેન્દ્ર સરકારો લોકો માટે સામાજિક કલ્યાણની યોજનાઓ લાવે છે. જેના કારણે સરકારના કામમાં પારદર્શિતા જળવાઈ રહે છે. આજકાલ, શિક્ષણ, રોજગાર અથવા કોઈપણ સંસ્થા સાથે સંબંધિત કામમાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?
Hun To Bolish : હું તો બોલીશ : સુશાસનનો યુગ ક્યારે?
Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?
Chaitar Vasava Vs Mansukh Vasava : ..તો લીગલ કાર્યવાહી કરીશ , સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડી દઈશ
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
Embed widget