શોધખોળ કરો

Aadhaar Card: ખાનગી સંસ્થાઓ પણ આ કામોમાં આધારનો ઉપયોગ કરી શકશે, નિયમોમાં થશે ફેરફાર

Aadhaar Authentication: ટૂંક સમયમાં ભારતમાં, સરકારી સંસ્થાઓની સાથે, બિન સરકારી સંસ્થાઓ પણ આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરી શકશે. સરકાર આ માટે નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.

Aadhaar Authentication: કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. પરંતુ હવે સરકારી કચેરી સિવાય ખાનગી સંસ્થાઓ (Non-Government Organisation) દ્વારા ઓથેન્ટિકેશન માટે આધારનો ઉપયોગ કરવાના નિયમો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ મામલે 5 મે 2023 સુધી લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. હાલમાં આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જ કરવામાં આવે છે, પરંતુ નિયમોમાં ફેરફાર બાદ ખાનગી સંસ્થાઓ પણ ઓથેન્ટિકેશન માટે આધારનો ઉપયોગ કરી શકશે.

સરકારનો હેતુ શું છે

આ નિર્ણય પાછળ કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય એ છે કે આનાથી લોકોનું જીવન સરળ બને અને દરેક વ્યક્તિ સુધી સેવાઓ સુલભ બને, જેના કારણે તેનું જીવન સારું બને. કેન્દ્ર સરકારે આ ડ્રાફ્ટ તમામ બિન-સરકારી સંસ્થાઓને મોકલ્યો છે જેઓ આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવા માંગે છે. આ અંગે તેમની પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે, જેને ફરીથી ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને મોકલવામાં આવશે.

તમે ક્યાં સુધી સલાહ આપી શકો છો

નોંધપાત્ર વાત એ છે કે એનજીઓ તેમની સલાહ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને મોકલશે. આ સાથે જ આધાર સાથે સંબંધિત પ્રસ્તાવિત ફેરફારો ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાશે. બિન-સરકારી સંસ્થાઓ ઉપરાંત, સામાન્ય લોકો પણ તેમની સલાહ આપી શકે છે. તમામ સલાહ મે 2023 સુધી લેવામાં આવશે. આ પછી કરવામાં આવેલા ફેરફારોને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવશે.

આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે

બદલાતા સમય સાથે આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. શાળા, કોલેજમાં એડમિશનથી લઈને મુસાફરી સુધીના તમામ કામ માટે આધાર જરૂરી છે. આ સાથે કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આધારની પ્રમાણિકતા જરૂરી છે. જો કેન્દ્ર સરકાર નિયમોમાં ફેરફાર કરશે તો હવે ખાનગી સંસ્થાઓ પણ આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરી શકશે.

આધાર કાર્ડ વિશ્વનું સૌથી મોટું બાયોમેટ્રિક ઓળખ કાર્ડ છે. જેમાં વ્યક્તિ સાથે જોડાયેલી તમામ મહત્વપૂર્ણ માહિતી સામેલ છે. આ માહિતીના કારણે તમામ રાજ્ય અને કેન્દ્ર સરકારો લોકો માટે સામાજિક કલ્યાણની યોજનાઓ લાવે છે. જેના કારણે સરકારના કામમાં પારદર્શિતા જળવાઈ રહે છે. આજકાલ, શિક્ષણ, રોજગાર અથવા કોઈપણ સંસ્થા સાથે સંબંધિત કામમાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજ અધિકારીઓનું સરઘસ ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે હોળી, કોના બાપની ધુળેટી?Patan Accident News: પાટણમાં ડમ્પરની અડફેટે એકનું મોત, લોકોએ ડમ્પરને લગાવી આગKumar Kanani Letter Bomb: સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ | abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
General Knowledge:  પાણી વગર 9 મહિના સુધી અવકાશમાં કેવી રીતે રહી સુનિતા વિલિયમ્સ?
General Knowledge: પાણી વગર 9 મહિના સુધી અવકાશમાં કેવી રીતે રહી સુનિતા વિલિયમ્સ?
Embed widget