શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
હવે એરટેલના 179 રૂપિયાનાં રિચાર્જ પર મળશે 2 લાખનો ઈન્શ્યોરન્સ, જાણો વિગતે
એરટેલે તેના યુઝર્સને 179 રૂપિયાના રિચાર્જ પર 2 લાખનો લાઈફ ઈન્શ્યોરન્સ આપવાની જાહેરાત કરી છે.
![હવે એરટેલના 179 રૂપિયાનાં રિચાર્જ પર મળશે 2 લાખનો ઈન્શ્યોરન્સ, જાણો વિગતે Airtel announces Rs 179 prepaid bundle with built in life insurance cover હવે એરટેલના 179 રૂપિયાનાં રિચાર્જ પર મળશે 2 લાખનો ઈન્શ્યોરન્સ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/19154031/airtel.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: એરટેલે તેના યુઝર્સને 179 રૂપિયાના રિચાર્જ પર 2 લાખનો લાઈફ ઈન્શ્યોરન્સ આપવાની જાહેરાત કરી છે. એરટેલ 179વાળા પ્લાનની સાથે, યુઝર્સને ભારતી એક્સા જીવન વીમો આપવામાં આવશે.
એરટેલ કંપનીએ કહ્યું કે, એરટેલનાં 179 રૂપિયાના પ્રીપેડ પ્લાન સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકાય છે. ઉપરાંત, યુઝર્સને દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવશે. આ સિવાય કંપનીએ પણ દરરોજ 300 એસએમએસ આપવાની જાહેરાત કરી છે. આની સાથે યુઝર્સને 2 લાખ રૂપિયાનો વીમો પણ મળશે.
આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે. કંપની આ યોજના તેના નવા યુઝર્સને આપશે. કંપનીનું કહેવું છે કે 18 થી 54 વર્ષની ઉંમરના લોકોને વીમાના એજ ગ્રુપમાં શામેલ કરવામાં આવ્યા છે. સાથે જ, વીમા મેળવવા માટે, યુઝર્સને કોઈ પેપર વર્કની જરૂર રહેશે નહીં કે કોઈ પ્રી મેડિકલ ટેસ્ટની પણ જરૂર રહેશે નહીં.
એરટેલના ચીફ માર્કેટિંગ ઓફિસર શાશ્વત શર્માએ જણાવ્યું હતું કે યુઝર્સે એરટેલના આ પગલાંને આવકાર્યું છે. આ સાથે જ આ પ્લાનની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)