શોધખોળ કરો

ATM યૂઝર્સ માટે કામના સમાચાર! 1 એપ્રિલથી બદલાશે આ મોટો નિયમ; HDFC અને PNB એ કરી જાહેરાત

ATM rules changing from April 1: HDFC બેંક અને PNB જેવી બેંકોએ આ નવા નિયમોની જાહેરાત કરી છે. આ નિયમો હેઠળ, 1 એપ્રિલથી, UPI દ્વારા ATM માંથી રોકડ ઉપાડ પણ તમારા ફ્રી ટ્રાન્ઝેક્શનમાં ગણવામાં આવશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 1 એપ્રિલથી ATM માંથી UPI થી રોકડ ઉપાડ ફ્રી લિમિટમાં ગણાશે.
  • વધુ ટ્રાન્ઝેક્શન પર HDFC, PNB જેવી બેંકો ચાર્જ વસૂલશે.
  • કેટલાક PNB ડેબિટ કાર્ડ માટે દૈનિક ઉપાડ મર્યાદા ઘટી શકે છે.

ATM rules changing from April 1: માર્ચ મહિનો અડધાથી વધુ વીતી ગયો છે અને હવે ગણતરીના દિવસોમાં એપ્રિલ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. 1 એપ્રિલથી દેશની કેટલીક બેંકો ATM ટ્રાન્ઝેક્શનના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. તેની સીધી અસર તમારી ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ અને કેશ વિડ્રોઅલ (રોકડ ઉપાડ) પર લાગતા ચાર્જ પર પડશે.

વાસ્તવમાં, 1 એપ્રિલથી ATM માંથી UPI દ્વારા રોકડ ઉપાડવાને પણ તમારી ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટમાં ગણવામાં આવશે. જો તમે અગાઉથી નક્કી કરેલી લિમિટ કરતા વધારે ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે.

ખિસ્સા પર કેટલી અસર પડશે?
પહેલા ઘણી બેંકો ATM માં UPI નો ઉપયોગ કરીને રોકડ ઉપાડવાને અલગ ટ્રાન્ઝેક્શન માનતી હતી, પરંતુ હવે નવા નિયમમાં તેને તમારી ફ્રી મંથલી લિમિટમાં ઉમેરી દેવામાં આવશે. HDFC Bank અને Punjab National Bank (PNB) જેવી બેંકોએ આ નવા નિયમોની જાહેરાત કરી છે.

આવી સ્થિતિમાં જો તમે બેંક દ્વારા આપવામાં આવેલી ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ કરતા વધુ વખત ATM માંથી રોકડ ઉપાડશો, તો બેંક તમારી પાસેથી દરેક વધારાના ટ્રાન્ઝેક્શન માટે 23 રૂપિયા સુધીની ફી વસૂલશે. અત્યાર સુધી આ બેંકો પોતાના ATM માંથી મહિનામાં 5 વખત ફ્રીમાં રોકડ ઉપાડવાની સુવિધા આપે છે. બીજી બેંકોના ATM માટે મેટ્રો સિટીઝમાં 3 વખત અને નોન-મેટ્રો શહેરોમાં 5 વખત ફ્રી કેશ વિડ્રોઅલની સુવિધા આપવામાં આવે છે.

UPI થી કેશ વિડ્રોઅલ સરળ
UPI દ્વારા ATM માંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે. ગ્રાહકોએ ડેબિટ કાર્ડ વગર રોકડ મેળવવા માટે બસ ATM સ્ક્રીન પર QR કોડ સ્કેન કરવાનો રહેશે અને પોતાની UPI એપ પર ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપવાની રહેશે. ઘણી બેંકો ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ ફીચર લાવી રહી છે.

ડેઈલી કેશ વિડ્રોઅલ લિમિટ પણ ઓછી
પંજાબ નેશનલ બેંક (PNB) એ તેના કેટલાક ડેબિટ કાર્ડ માટે દરરોજ રોકડ ઉપાડવાની લિમિટ ઘટાડવાનો પણ નિર્ણય લીધો છે. બેંકે હજુ પૂરી જાણકારી આપી નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે બેંક દરરોજ પૈસા ઉપાડવાની લિમિટમાં 50 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. બેંક ગ્રાહકોને સલાહ આપી રહી છે કે તેઓ પોતાના કાર્ડના નિયમો તપાસી લે અને મોટા ટ્રાન્ઝેક્શન માટે UPI અથવા નેટ બેંકિંગ જેવા ડિજિટલ ઓપ્શનનો ઉપયોગ કરે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
SBI 444 Days FD: એસબીઆઈની આ ખાસ એફડીમાં મળશે સામાન્ય કરતાં વધુ વ્યાજ! જુઓ ગણતરી
SBI 444 Days FD: એસબીઆઈની આ ખાસ એફડીમાં મળશે સામાન્ય કરતાં વધુ વ્યાજ! જુઓ ગણતરી

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget