શોધખોળ કરો

આયુષ્માન કાર્ડ: કઈ ઉંમરના લોકોને મળશે મફત સારવારનો લાભ? અરજી કરતા પહેલા જાણી લો નિયમ

ayushman card age limit rules: આયુષ્માન કાર્ડ દ્વારા વાર્ષિક 5 લાખ સુધીની મફત સારવાર મળે છે, 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો અને નવજાત શિશુ માટે શું છે નવા નિયમો, જાણો અરજી કરવાની સરળ રીત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આયુષ્માન કાર્ડ 5 લાખની મફત સારવાર આપે છે.
  • જન્મથી કોઈપણ વયના પાત્ર આયુષ્માન કાર્ડ મેળવી શકે છે.
  • 70 વર્ષથી વધુ વયના વડીલો આવક વગર પણ પાત્ર.
  • ઓનલાઈન કે CSC દ્વારા અરજી કરીને કાર્ડ મેળવી શકાય.

ayushman card age limit rules: કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય અને ચર્ચિત યોજનાઓમાંની એક એટલે 'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના'. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે, જેના દ્વારા તેઓ પેનલમાં સામેલ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. પરંતુ, ઘણા લોકોના મનમાં એ સવાલ હોય છે કે આ કાર્ડ કઈ ઉંમરના લોકો કઢાવી શકે? શું બાળકો કે વૃદ્ધો માટે કોઈ ખાસ વય મર્યાદા છે? તો ચાલો, અરજી કરતા પહેલા આયુષ્માન કાર્ડ માટેની ઉંમર મર્યાદા, ફાયદાઓ અને અરજી કરવાની પ્રક્રિયા વિશેની તમામ મૂંઝવણ દૂર કરીએ.

કઈ ઉંમરના લોકોને મળી શકે છે આયુષ્માન કાર્ડ?

આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ઉંમરની કોઈ લઘુત્તમ (minimum) મર્યાદા નક્કી કરવામાં આવી નથી. જો તમારો પરિવાર આ યોજના હેઠળ પાત્રતા ધરાવતો હોય, તો ઘરમાં જન્મેલા નવજાત શિશુથી લઈને કોઈપણ ઉંમરના બાળકનું આયુષ્માન કાર્ડ આસાનીથી કઢાવી શકાય છે.

આ ઉપરાંત, તાજેતરમાં જ ભારત સરકારે વડીલો માટે એક બહુ મોટો અને મહત્વનો નિયમ લાગુ કર્યો છે. આ નવા નિયમ મુજબ, 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વડીલો આયુષ્માન કાર્ડ મેળવવા માટે 100 ટકા હકદાર છે. અહીં સૌથી મોટી રાહતની વાત એ છે કે 70 વર્ષથી ઉપરની વ્યક્તિ ગરીબ હોય કે અમીર (તેમની આવક ગમે તેટલી હોય), તેનાથી કોઈ જ ફરક પડતો નથી. તેમની 70 વર્ષની ઉંમર જ તેમની પાત્રતા માટે પૂરતી છે.

કેવી રીતે કઢાવી શકાય આયુષ્માન કાર્ડ?

આયુષ્માન કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તેના મુખ્ય બે રસ્તા છે:

ઓનલાઈન અરજી: તમે ઘરે બેઠા યોજનાની સત્તાવાર વેબસાઇટ pmjay.gov.in પર જઈને જરૂરી વિગતો ભરીને જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો.

ઓફલાઈન અરજી: જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા ન આવડતું હોય, તો તમે જરૂરી દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ અને રેશન કાર્ડ) લઈને તમારા નજીકના કસ્ટમર સર્વિસ સેન્ટર (CSC સેન્ટર) ની મુલાકાત લઈને પણ આયુષ્માન કાર્ડ કઢાવી શકો છો.

આ પણ વાંચોઃ આયુષ્માન કાર્ડથી બધી સારવાર મફત નથી થતી! જાણો કઈ બીમારીઓ માટે તમારે પૈસા ચૂકવવા પડશે

આયુષ્માન કાર્ડ હોવાના ફાયદા શું છે?

બીમારીના કપરા સમયે આ કાર્ડ એક મોટા આર્થિક ટેકા સમાન સાબિત થાય છે. આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ અને તેના પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળે છે. એટલે કે, મોટા ઓપરેશન કે ગંભીર બીમારી પાછળ થતો લાખો રૂપિયાનો ખર્ચ તમારે નથી ભોગવવાનો, સરકાર તમારી સારવારનો તમામ ખર્ચ ઉઠાવે છે. આ કાર્ડની મદદથી તમે તમારા શહેરની અથવા દેશની કોઈપણ લિસ્ટેડ (યોજનામાં જોડાયેલી) સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જઈને મફત સારવારનો લાભ લઈ શકો છો.

આ પણ વાંચોઃ આયુષ્માન કાર્ડ છે? જાણો તમારા શહેરની કઈ હોસ્પિટલમાં ₹5 લાખની મફત સારવાર મળશે

Frequently Asked Questions

આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ઉંમરની શું મર્યાદા છે?

આ કાર્ડ માટે કોઈ લઘુત્તમ ઉંમર મર્યાદા નથી; નવજાત શિશુથી લઈને કોઈપણ બાળકને મળી શકે છે. 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વડીલો આવકને ધ્યાનમાં લીધા વિના આ કાર્ડ માટે પાત્ર છે.

આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવી શકાય છે?

તમે pmjay.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકો છો. વૈકલ્પિક રીતે, આધાર અને રેશન કાર્ડ સાથે નજીકના CSC સેન્ટરની મુલાકાત લઈને પણ ઓફલાઈન અરજી કરી શકાય છે.

આયુષ્માન કાર્ડ હોવાના મુખ્ય ફાયદા શું છે?

આ કાર્ડ ધારકને અને તેના પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આ સુવિધા લિસ્ટેડ સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે, જે ગંભીર બીમારીના ખર્ચમાં રાહત આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
DA Hike: જુલાઈમાં 7મા કે 8મા પગાર પંચ મુજબ વધશે મોંઘવારી ભથ્થું? જાણો 1 કરોડ કર્મચારીઓ માટે ગણતરી
DA Hike: જુલાઈમાં 7મા કે 8મા પગાર પંચ મુજબ વધશે મોંઘવારી ભથ્થું? જાણો 1 કરોડ કર્મચારીઓ માટે ગણતરી
સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા 20% નો નિયમ જાણી લો, નહીંતર પસ્તાશો
સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા 20% નો નિયમ જાણી લો, નહીંતર પસ્તાશો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
Embed widget