શોધખોળ કરો

Cabinet Decisions: ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ લંબાવાઈ, મહિલા સ્વ સહાય જૂથોને અપાશે 15 હજાર ડ્રોન

Cabinet Decisions: આ યોજનાનો લાભ 81 કરોડથી વધુ લોકોને મળશે. આગામી પાંચ વર્ષમાં આ યોજના પર 11 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ યોજના કોવિડ 19 રોગચાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી.

Cabinet Decisions: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયોની માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે ગરીબ કલ્યાણ અન્ન યોજના 1 જાન્યુઆરી, 2024 થી આગામી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવશે. અંત્યોદય પરિવારોને દર મહિને 35 કિલો અનાજનું વિતરણ કરવામાં આવશે. આ યોજનાનો લાભ 81 કરોડથી વધુ લોકોને મળશે. આગામી પાંચ વર્ષમાં આ યોજના પર 11 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ યોજના કોવિડ 19 રોગચાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 13.50 કરોડ ભારતીયો ગરીબીના સ્તરથી ઉપર આવ્યા છે. મોદી સરકારની આ એક મોટી ઉપલબ્ધિ છે.

15 હજાર મહિલા સ્વ સહાય જૂથોને અપાશે ડ્રોન

અનુરાગ ઠાકુરે માહિતી આપી કે કેન્દ્રીય કેબિનેટે મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન પ્રદાન કરવાની યોજનાને પણ મંજૂરી આપી છે. 2023-24 થી 2025-2026 દરમિયાન 15,000 પસંદ કરેલ મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન આપવામાં આવશે જેથી ખેડૂતોને કૃષિ ઉપયોગ માટે ભાડાની સેવાઓ પૂરી પાડવામાં આવે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સરકારના આ નિર્ણયની જાણકારી આપતાં કહ્યું, સરકારના આ નિર્ણયથી મહિલાઓ વર્ષે ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાની વધારાની આવક મેળવી શકશે. વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટના રોજ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં ડ્રોન ટેક્નોલોજી વડે મહિલા સ્વ સહાય જૂથોને સશક્ત કરવાની લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી.

કેબિનેટના નિર્ણય મુજબ ફાસ્ટ ટ્રેક કોર્ટ યોજનાને આગામી ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય સગીર છોકરીઓના દુષ્કર્મ અને જાતીય શોષણના મામલામાં નિર્ધારિત સમયગાળામાં ન્યાય આપવાનો છે.

કેન્દ્રીય કેબિનેટે 16 નાણાપંચોને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટની બેઠકમાં 16મા નાણાપંચ પર પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટે 16મા નાણાપંચના સંદર્ભની શરતોને મંજૂરી આપી દીધી છે. કાર્યકારી જૂથની ભલામણોના આધારે, 16મા નાણાં પંચના સંદર્ભની શરતો નક્કી કરવામાં આવી છે. 16મું નાણાપંચ ઓક્ટોબર 2025 સુધીમાં તેનો અહેવાલ સુપરત કરશે. કેન્દ્ર આ અંગે નિર્ણય લેશે અને તેને 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2031 સુધી લાગુ કરવામાં આવશે.

કેન્દ્રીય કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા અનુરાગ ઠાકુરે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન સુરંગમાં ફસાયેલા 41 મજૂરો માટે ચલાવવામાં આવી રહેલા બચાવ અભિયાન પર સતત નજર રાખતા હતા. દરરોજ તેઓ બે વખત અભિયાનની માહિતી લેતા હતા.

ટોપ સ્ટોરી

Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget