શોધખોળ કરો

Federal Reserve: યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કર્યો, ભારતને પણ થશે અસર, જાણો

આને ધ્યાનમાં રાખીને ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. આ વ્યાજ દરો 1994 પછીનું સર્વોચ્ચ સ્તર છે. છેલ્લી ફેડ મીટિંગમાં પણ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કર્યો હતો.

Federal Reserve Hike Interest Rates: યુએસ ફેડરલ રિઝર્વે ફરી એકવાર વ્યાજદરમાં વધારો કર્યો છે અને તેની અસર આજે વૈશ્વિક બજારો પર જોવા મળશે. અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે સતત બીજા મહિને વ્યાજદરમાં વધારો કર્યો છે, જેની અસર માત્ર અમેરિકી અર્થવ્યવસ્થા પર જ નહીં પરંતુ વિશ્વના અનેક બજારો પર નકારાત્મક અસર થવાની સંભાવના છે.

ફેડએ દર કેમ વધાર્યા?

યુએસમાં ફુગાવો 41 વર્ષની ઊંચી સપાટીએ છે અને તેના અગાઉના આંકડામાં તે 9.1 ટકા હતો. આને ધ્યાનમાં રાખીને ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. આ વ્યાજ દરો 1994 પછીનું સર્વોચ્ચ સ્તર છે. છેલ્લી ફેડ મીટિંગમાં પણ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કર્યો હતો.

ફેડ કમિટીએ શું કહ્યું?

ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ કહ્યું કે યુએસમાં મોંઘવારી દરમાં વધારો થયો છે, કોરોના રોગચાળાની અસર, ખાદ્યપદાર્થોની ઊંચી કિંમતો અને ઊર્જાની કિંમતો આ વ્યાજ દરો પર જોવા મળી રહી છે. બીજી બાજુ, વ્યાપક ભાવ દબાણ પુરવઠા અને માંગના અસંતુલનને પ્રતિબિંબિત કરે છે, જેને નિયંત્રિત કરવા માટે ફેડરલ રિઝર્વે આ વ્યાજ દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કહ્યું છે કે યુએસ અર્થતંત્ર માટે સૌથી મોટું જોખમ ફુગાવાના દરમાં વધારો થશે. જોકે, ફેડના ચેરમેને આર્થિક મંદીને લઈને એટલી ચિંતા વ્યક્ત કરી નથી.

આ વર્ષે ચાર વખત દર વધાર્યા

યુએસ ફેડરલ રિઝર્વે જે ગયા જૂનમાં અને આ વખતે જુલાઈમાં 0.75-0.75 ટકા વ્યાજ દર વધાર્યા બાદ સવા મહિનાની અંદર જ વ્યાજ દરમાં 1.50 ટકાનો વધારો કર્યો છે. આ સિવાય ફેડરલ રિઝર્વે આ વર્ષે ચોથી વખત વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

ફેડરલ રિઝર્વના નિર્ણયની ભારત પર અસર

યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ ભારત પર પણ તેની મોટી અસર પડી શકે છે. સૌ પ્રથમ, 3-5 ઓગસ્ટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આગામી નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં વધારો થવાની સંભાવના છે. તેનાથી દેશમાં લોન મોંઘી થશે અને નાગરિકો માટે EMI વધવાની શક્યતા છે. બીજી તરફ ડોલરની કિંમત 80ની સપાટીને સ્પર્શી ચૂકેલા ડોલરના વધારાને કારણે રૂપિયો નીચે જવાનો ભય છે. ભારત માટે, અન્ય મોરચે મુશ્કેલીઓ વધવાની ધારણા છે જેમ કે આયાતની કિંમત વધુ વધી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget