શોધખોળ કરો

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, દસ જ દિવસમાં સિઝનનો 33 ટકા વરસાદ ખાબક્યો

અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનમાં વરસાદી આપદાને લીધે 69 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 28 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આ્યું છે. જ્યારે 511 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્ચમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેંજ એલર્ટ અપાયું છે.

રાજ્યમાં ચોમાસુ જામ્યુ છે. ત્યારે જૂન મહિનામાં સરેરાશ અઢી ઈંચ વરસાદની સામે જુલાઈના 12 દિવસમાં જ સરેરાશ 12 ઈંચ વરસાદ થયો છે. જુલાઈ સરેરાશ વરસાદની સામે અત્યાર સુધીમાં કુલ 43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 10 દિવસમાં જ રાજ્યમાં ચોમાસાની સિઝનનો 33 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધારે છે.

તો મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ બોડેલી એપીએમસી પર મુખ્યમંત્રીએ પૂર પ્રભાવિત વિસ્તારની નુકસાનીનો સર્વે કરીને લોકોને મદદરૂપ થવા માટે જિલ્લા પ્રશાસન સાથે બેઠક કરીને માર્ગદર્શન પણ આપ્યુ હતુ.

લોકોના જાનમાલને નુકશાન થયું છે તેને ઝડપથી સહાય ચૂકવવા સૂચના આપી હતી. નવસારીના પૂર્ણા નદીમાં આવેલ પૂરે ભારે તારાજી સર્જી છે તેનું હવાઈ નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર અધિકારીઓ સાથે મળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અતિભારે વરસાદને કારણે રાજ્યના 89 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

તો અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનમાં વરસાદી આપદાને લીધે 69 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 28 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આ્યું છે. જ્યારે 511 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે 15 સ્ટેટ હાઈવે, 12 પંચાયત કે અન્ય માર્ગો તેમજ 439 માર્ગો સુરક્ષાની દ્રષ્ટીએ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. જ્યારે કચ્છમાંથી પસાર થતો એક નેશનલ હાઈવે બંધ કરાયો છે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Embed widget