શોધખોળ કરો

IDBI Bank Special FD Scheme: IDBI બેંકે પણ અમૃત મહોત્સવ પર ખાસ FD સ્કીમ શરૂ કરી, જાણો કેટલું વ્યાજ મળશે

ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે. આ મહત્વના તબક્કે દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે.

IDBI Bank Special Fixed Deposit Scheme: સ્વતંત્રતાના અમૃત પર્વ નિમિત્તે, હવે IDBI બેંકે પણ ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. IDBI બેંકે 500 દિવસની મુદત સાથે અમૃત મહોત્સવ FD નામની મર્યાદિત મુદતની વિશેષ ફિક્સ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. બેંકે તેની 1100 દિવસની વિશેષ FD યોજના બંધ કરી છે અને 500 દિવસની વિશેષ FD યોજના શરૂ કરી છે. આ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ ટૂંકા ગાળા માટે ખુલ્લી છે, જેના પર થાપણદારોને વધુ વળતર મળશે.

જાણો તમને કેટલું વ્યાજ મળશે

IDBI બેંકે ટ્વીટ કરીને આ ડિપોઝિટ સ્કીમ વિશે જાણકારી આપી છે. જેમાં ગ્રાહકોને IDBI બેંકની અમૃત મહોત્સવ રિટેલ ટર્મ ડિપોઝીટ સ્કીમનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. 500 દિવસની મુદતવાળી આ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ પર 6.70 ટકા વ્યાજ મળશે અને થાપણદારો 30 સપ્ટેમ્બર 2022ના રોજ આ FDમાં રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં, મેચ્યોરિટી પીરિયડ પહેલા FD તોડવા પર, સામાન્ય લોકોને 6.10 ટકા વ્યાજ મળશે, મેચ્યોરિટી પીરિયડ પછી 6.20 ટકા. બીજી તરફ, વરિષ્ઠ નાગરિકોને પાકતી મુદત પહેલા FD તોડવા પર 6.20 ટકા અને પાકતી મુદત પછી FDમાંથી પૈસા ઉપાડવા પર 6.70 ટકા વ્યાજ મળશે.

ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે. આ મહત્વના તબક્કે દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર ઘણી બેંકો ખાસ ટર્મ ડિપોઝીટ સ્કીમ લઈને આવી છે. એસબીઆઈથી લઈને બેંક ઓફ બરોડા અને ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે ખાસ FD સ્કીમ શરૂ કરી છે. જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આ પ્રસંગે એક ખાસ મુદતની થાપણ યોજના શરૂ કરી છે, જેનું નામ ઉત્સવ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ (SBI Utsav Fixed Deposit Scheme) છે. SBIની ઉત્સવ ડિપોઝિટ સ્કીમમાં, રોકાણકારોને 1000 દિવસની FD પર 6.10 ટકા વ્યાજ મળશે. બીજી તરફ વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધુ વ્યાજ મળશે. SBI ઉત્સવ ડિપોઝિટ સ્કીમ 15 ઓગસ્ટ, 2022 થી આગામી 75 દિવસ માટે ખુલ્લી રહેશે.

બેંક ઓફ બરોડાએ આઝાદીના અમૃતની ઉજવણી માટે બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. બેંક ઓફ બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ હેઠળ 444 દિવસની FD પર 5.75% વ્યાજ ઓફર કરે છે. તમને 555 દિવસની FD પર 6.00% વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકોને 0.50% વધુ વ્યાજ મળે છે. વરિષ્ઠ નાગરિકોને 444 દિવસની FD સ્કીમ પર 6.25% અને 555 દિવસની FD પર 6.50% વ્યાજ મળી રહ્યું છે. એક્સિસ બેંક પણ આ શુભ અવસર પર વિશેષ FD સ્કીમ લઈને આવી છે. એક્સિસ બેંકની આ સ્કીમમાં 75 અઠવાડિયા એટલે કે એક વર્ષ, પાંચ મહિના અને 7 દિવસની FD પર 6.05 ટકા વ્યાજ મળશે. બીજી તરફ, વરિષ્ઠ નાગરિકોને 75 અઠવાડિયા સુધી FD પર 6.80 ટકા વ્યાજ મળશે. આ ઓફર 11 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી ખુલ્લી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget