શોધખોળ કરો

લાખો મુસાફરો માટે ખુશખબર, રેલવે મંત્રીએ લોકસભામાં કરી મોટી જાહેરાત, 2500 જનરલ કોચ.....

Indian Railways: રેલવે મંત્રીએ ગુરુવારે સંસદમાં કહ્યું કે જનરલ કોચની માંગ વધી રહી છે, તેથી અમે આગામી કેટલાક મહિનાઓમાં 2,500 જનરલ કોચ બનાવવાનું કામ શરૂ કર્યું છે.

Indian Railways: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે લાખો ભારતીય રેલ મુસાફરોને લોકસભામાં મોટી ખુશખબરી આપી. તેમણે જણાવ્યું હતું કે આગામી કેટલાક મહિનાઓમાં રેલવે ટ્રેનોમાં 2500 જનરલ કોચ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યામાં કથિત ઘટાડો થવાનો મુદ્દો ઉઠતો રહ્યો છે. હવે આવનારા દિવસોમાં રેલવે ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવા જઈ રહી છે. દરેક મેલ એક્સપ્રેસ ટ્રેનમાં જનરલના ચાર ડબ્બા લગાવવામાં આવશે. માનવામાં આવે છે કે ટ્રેનોમાં થતી ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના રેલ મુસાફરોને મોટી રાહત મળવાની આશા છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે એક ટ્રેનમાં જનરલ કોચનું પ્રમાણ સ્લીપર અને નોન રિઝર્વ સહિત બે તૃતીયાંશ છે. મંત્રીએ લોકસભામાં કહ્યું, "એક તૃતીયાંશ એસી કોચ છે. આ જ ધોરણ રહ્યું છે અને તેને જાળવી રાખવામાં આવ્યું છે. જોકે, જનરલ કોચની માંગ વધી રહી હોવાથી, અમે આગામી કેટલાક મહિનાઓમાં 2,500 જનરલ કોચ બનાવવાનું કામ શરૂ કર્યું છે."

રેલવે મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે સ્ટાન્ડર્ડ મુજબ દરેક મેલ ટ્રેનમાં ઓછામાં ઓછા ચાર જનરલ કોચ હોવા જોઈએ. આ ધોરણ તમામ મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત, તેમણે સંસદને જણાવ્યું હતું કે ભવિષ્યમાં ભારતીય રેલવે વેઇટિંગ લિસ્ટ અને શોર્ટેજની સમસ્યાઓને દૂર કરવા માટે દસ હજાર જનરલ કોચ બનાવવાનું કામ શરૂ કરવા જઈ રહી છે.

અશ્વિની વૈષ્ણવે પોતાના સંબોધનની શરૂઆત લગભગ 12 લાખ રેલવે કર્મચારીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરીને કરી. આ કર્મચારીઓ દરરોજ લગભગ 20,000 ટ્રેનોના સુચારુ સંચાલનને સુનિશ્ચિત કરે છે. રેલવે મંત્રીએ રેલવેને દેશની જીવનરેખા ગણાવી, એક મહત્વપૂર્ણ સંસ્થા જેના પર દેશના અર્થતંત્રનો ખૂબ મોટો બોજો છે.

રેલવે સુરક્ષા અંગે સંસદને સંબોધતા રેલવે મંત્રીએ છેલ્લા એક દાયકામાં આ સંબંધમાં થયેલી મહત્વપૂર્ણ પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. 26,52,000થી વધુ અલ્ટ્રાસોનિક ખામી ઓળખ પરીક્ષણો કરવામાં આવ્યા છે અને સુરક્ષા ઉપાયોને વધારવા માટે ઘણી નવી તકનીકોને સામેલ કરવામાં આવી છે.                           

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget