![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
MAHARASHTRA : મહારાષ્ટ્રમાં સરકાર બદલાયા બાદ પેટ્રોલ-ડિઝલના ભાવો ઘટ્યાં, જાણો શિંદે સરકારે કેટલા ભાવ ઘટાડ્યા
Maharashtra Petrol Cut: રાજ્યમાં ડીઝલના ભાવમાં 3 રૂપિયા અને પેટ્રોલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે.
![MAHARASHTRA : મહારાષ્ટ્રમાં સરકાર બદલાયા બાદ પેટ્રોલ-ડિઝલના ભાવો ઘટ્યાં, જાણો શિંદે સરકારે કેટલા ભાવ ઘટાડ્યા Maharashtra govt cuts VAT on petrol and diesel MAHARASHTRA : મહારાષ્ટ્રમાં સરકાર બદલાયા બાદ પેટ્રોલ-ડિઝલના ભાવો ઘટ્યાં, જાણો શિંદે સરકારે કેટલા ભાવ ઘટાડ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/efe1be13caa167b848b3274ed1fec1d71657807656_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Maharashtra News : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે (Eknath Shinde) અને દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)સરકારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ (petrol and diesel) ના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં ડીઝલના ભાવમાં 3 રૂપિયા અને પેટ્રોલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં સરકાર બદલાયા બાદ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની નવી સરકારે થોડા દિવસો પહેલા જ મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા હતા.
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 4 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. કેન્દ્રએ પણ રાજ્યોને પોતપોતાના રાજ્યોમાં આ નિર્ણય લાગુ કરવા અપીલ કરી હતી. જો કે તત્કાલીન ઠાકરે સરકારે આ અંગે કોઈ નિર્ણય લીધો ન હતો. મહારાષ્ટ્ર સરકારના આ પગલાથી રાજ્યની તિજોરી પર 6000 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.
The price of petrol & diesel reduced by Rs 5 per litre & Rs 3 per litre respectively: Maharashtra CM Eknath Shinde pic.twitter.com/7f0EvMrUQI
— ANI (@ANI) July 14, 2022
મહારાષ્ટ્રના શહેરોમાં હાલના ભાવ
મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં પેટ્રોલ-112. 82, કોલ્હાપુરમાં 111.87, મુંબઈમાં 111. 35, નાસિકમાં 111. 45, થાણેમાં 110. 81, પુણેમાં 111. 75. તે જ સમયે, ડીઝલની કિંમત ઔરંગાબાદમાં 97.24, કોલ્હાપુરમાં 96.35, મુંબઈમાં 97.28, નાસિકમાં 95.92, થાણેમાં 95.28 અને પુણેમાં 96.20 છે. હવે તેમાં પાંચ અને ત્રણ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ટીકા બાદ ઉદ્ધવ સરકારે પણ ભાવમાં ઘટાડો કર્યો હતો
કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ દેશના તમામ ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ મહારાષ્ટ્રની તત્કાલીન ઠાકરે સરકારે તેના પર વસૂલાતા વેટમાં ઘટાડો કર્યો ન હતો. જેના કારણે ભાજપ અને મહાવિકાસ આઘાડી વચ્ચે લાંબા સમય સુધી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું હતું. જોકે, બાદમાં ઠાકરે સરકારે ડીઝલ અને પેટ્રોલ પર વેટ ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ પેટ્રોલ પર 2.08 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 1.44 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે ઠાકરે સરકારે કહ્યું હતું કે આ નિર્ણયને કારણે સરકારી તિજોરી પર અઢી હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)