શોધખોળ કરો

PIB Fact Check: શું એક વર્ષમાં બચત ખાતામાં 40 થી વધારે ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ ચૂકવવો પડશે? જાણો શું છે સત્ય

આજકાલ સોશિયલ મીડિયા પર આ દાવો ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે કે SBIએ સેવિંગ્સ બેંક એકાઉન્ટ અને ATM ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરી છે.

Fact Check of Banking Rules: સોશિયલ મીડિયા આજકાલ માહિતીનો એક વિશાળ સ્ત્રોત બની ગયો છે. કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે આપણે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવો પડે છે. દેશમાં વધી રહેલા ડિજીટલાઇઝેશનના આ યુગમાં અનેક પ્રકારની ભ્રામક માહિતી પણ ઝડપથી વાયરલ થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમામ માહિતીની હકીકત તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજકાલ સોશિયલ મીડિયા પર આ દાવો ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે કે SBIએ સેવિંગ્સ બેંક એકાઉન્ટ અને ATM ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરી છે.

શું છે સોશિયલ મીડિયાનો દાવો?

આજકાલ સોશિયલ મીડિયા પર બેંકિંગ નિયમોમાં ફેરફારને લઈને દાવાઓ થઈ રહ્યા છે. વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે હવે ગ્રાહકો સેવિંગ બેંક એકાઉન્ટ પર એક વર્ષમાં 40 ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકશે. આ પછી, 41મા ટ્રાન્ઝેક્શન માટે તમારે 57.5 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ સાથે સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મહિનામાં 4 થી વધુ ટ્રાન્ઝેક્શન કરવા પર તમારે કુલ 173 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે પણ સોશિયલ મીડિયા પર આ વાયરલ મેસેજ જોયો હોય તો અમે તમને આ મેસેજની સત્યતા જણાવી રહ્યા છીએ.

પીઆઈબીએ હકીકત તપાસી હતી

તમને જણાવી દઈએ કે પીઆઈબી ફેક્ટ ચેકે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજની ફેક્ટ-ચેક કરી છે. આ તથ્ય તપાસમાં જાણવા મળ્યું છે કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે. ભારતીય સ્ટેટ બેંકે બચત ખાતા અને એટીએમ ટ્રાન્ઝેક્શન માટે તેના ગ્રાહકો પર કોઈપણ પ્રકારની મર્યાદા નક્કી કરી નથી. આ સાથે ચેક પેમેન્ટ પર બદલાયેલા નિયમો, વિદેશમાં પૈસા મોકલવા માટે ટ્રાન્ઝેક્શન ફીમાં વધારો કરવાનો દાવો પણ સંપૂર્ણપણે બોગસ છે. આરબીઆઈ, સરકાર કે સ્ટેટ બેંક દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અહીં જાણો ATM ટ્રાન્ઝેક્શન લિમિટ

PIB ફેક્ટ પરથી જાણવા મળ્યું છે કે દરેક ગ્રાહક એક મહિનામાં 5 જેટલા ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકે છે. આ સાથે, દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા SBIના 6 મેટ્રો શહેરોમાં એક દિવસમાં 3 અન્ય બેંક એટીએમ પર વ્યવહારો મફત છે. આ સાથે, બેંકે બચત ખાતામાં વર્ષના 40 ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
ગરમીમાં દૂધ ફાટી જવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? તો અપનાવો આ ટ્રિક્સ
ગરમીમાં દૂધ ફાટી જવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? તો અપનાવો આ ટ્રિક્સ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : AAPના વળતા પાણી ? । abp AsmitaHun To Bolish : એપ્રિલમાં અગનવર્ષા । abp AsmitaGujarat Weather Update | રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહીLok Sabha Election 2024: કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેનનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
ગરમીમાં દૂધ ફાટી જવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? તો અપનાવો આ ટ્રિક્સ
ગરમીમાં દૂધ ફાટી જવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? તો અપનાવો આ ટ્રિક્સ
ભાડા કરાર વિના ફ્લેટ કે મકાન ભાડે આપવાથી થઈ શકે છે આ નુકસાન?
ભાડા કરાર વિના ફ્લેટ કે મકાન ભાડે આપવાથી થઈ શકે છે આ નુકસાન?
PBKS vs MI: મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 9 રને હરાવ્યું, આશુતોષની લડાયક ઈનિંગ
PBKS vs MI: મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 9 રને હરાવ્યું, આશુતોષની લડાયક ઈનિંગ
EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ
EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ
Arvind Kejriwal: કોણ ઘડી રહ્યું છે જેલમાં કેજરીવાલનો જીવ લેવાનું ષડયંત્ર? આતિશીના આરોપ બાદ હડકંપ
Arvind Kejriwal: કોણ ઘડી રહ્યું છે જેલમાં કેજરીવાલનો જીવ લેવાનું ષડયંત્ર? આતિશીના આરોપ બાદ હડકંપ
Embed widget