આ એક સરકારી ગેરંટીવાળી બચત યોજના છે જ્યાં તમારે 5 વર્ષ સુધી દર મહિને નિશ્ચિત રકમ જમા કરાવવાની હોય છે. મુદત પૂરી થતાં તમને વ્યાજ સહિત પૂરી રકમ પાછી મળે છે.
પોસ્ટ ઓફિસ RD યોજના: દર મહિને 5,000ની બચત પર મળશે લાખોનું રિટર્ન, સમજો વ્યાજનું પૂરું ગણિત
Post Office RD Scheme 2026: એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરમાં મળશે 6.7% વ્યાજ; માત્ર 100 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ, જાણો ટેક્સના ખાસ નિયમો.

- પોસ્ટ ઓફિસ RD સુરક્ષિત રોકાણ માટે ઉત્તમ વિકલ્પ છે.
- હાલ 6.7% વ્યાજ, માસિક ₹100 થી રોકાણ કરી શકાય.
- ₹10,000 માસિક જમા પર 5 વર્ષે ₹7.13 લાખ મળે.
- આ સ્કીમમાં મળતી વ્યાજની રકમ સંપૂર્ણપણે કરપાત્ર છે.
Post Office RD Scheme 2026: જો તમે પણ કોઈપણ પ્રકારનું જોખમ લીધા વગર પોતાના પૈસા બિલકુલ સુરક્ષિત રાખીને ભવિષ્ય માટે મોટું ભંડોળ બનાવવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. પોસ્ટ ઓફિસની આવી જ એક સુપરહિટ સ્કીમ એટલે રિકરિંગ ડિપોઝિટ (RD), જે નિયમિત બચત કરનારા સામાન્ય અને મધ્યમ વર્ગના રોકાણકારોમાં ખૂબ લોકપ્રિય છે. આ સરકારી ગેરંટીવાળી યોજનામાં એપ્રિલ-જૂન 2026ના વર્તમાન ક્વાર્ટર માટે વાર્ષિક 6.7% વ્યાજ મળી રહ્યું છે, જેમાં દર મહિને નાની રકમ બચાવીને પણ 5 વર્ષની મુદતમાં લાખો રૂપિયાનું મોટું ફંડ ઊભું કરી શકાય છે. જોકે, આ સ્કીમમાં રોકાણ કરતાં પહેલાં તેના વ્યાજની ગણતરી અને ટેક્સના નિયમો ખાસ સમજી લેવા જરૂરી છે.
પોસ્ટ ઓફિસ આરડી (RD) એ એક એવી ગુલ્લક જેવી બચત યોજના છે, જેમાં તમારે દર મહિને એક નક્કી કરેલી રકમ સતત 5 વર્ષ સુધી જમા કરાવવાની હોય છે. આ યોજનાની મુદત 5 વર્ષની હોય છે અને સમય પૂરો થતાં જ તમને વ્યાજ સહિત પૂરી રકમ પાછી મળી જાય છે. આ સ્કીમની સૌથી સારી વાત એ છે કે આમાં રોકાણ કરવા માટે તમારે કોઈ બહુ મોટા ભંડોળની જરૂર નથી, તમે માત્ર 100 રૂપિયાથી પણ પોતાનું ખાતું ખોલાવી શકો છો. તે પછી તમે 10 ના ગુણાંકમાં ગમે તેટલી રકમ દર મહિને જમા કરાવી શકો છો, કારણ કે આ સ્કીમમાં રોકાણ કરવાની કોઈ મહત્તમ એટલે કે વધુમાં વધુ લિમિટ નક્કી કરવામાં આવી નથી. આ ખાતું તમે એકલા અથવા તમારા પરિવારના કોઈ સભ્ય સાથે જોઈન્ટ એકાઉન્ટ તરીકે પણ શરૂ કરી શકો છો.
વળતરનું પૂરું ગણિત: કેટલા રોકાણ પર કેટલા મળશે?
અત્યારે સરકાર આ સ્કીમ પર વાર્ષિક 6.7% વ્યાજ આપી રહી છે, જેનું કેલ્ક્યુલેશન દર ત્રણ મહિને ચક્રવૃદ્ધિ (Compound Interest) વ્યાજ ઉમેરીને થાય છે. ચાલો સમજીએ કે દર મહિને અલગ-અલગ રકમ બચાવવાથી 5 વર્ષ પછી તમારા હાથમાં કેટલા રૂપિયા આવશે:
દર મહિને 1,000 રૂપિયાની બચત: જો તમે દર મહિને 1,000 રૂપિયા જમા કરો છો, તો 5 વર્ષમાં તમારા કુલ 60,000 રૂપિયા જમા થશે અને મેચ્યોરિટી પર તમને વ્યાજ સાથે લગભગ 71,365 રૂપિયા મળશે.
દર મહિને 5,000 રૂપિયાની બચત: જો તમે દર મહિને 5,000 રૂપિયા આ સ્કીમમાં રોકો છો, તો 5 વર્ષ પૂરા થતાં જ તમને આશરે 3.56 લાખ રૂપિયાનું મોટું ભંડોળ પાછું મળશે.
દર મહિને 10,000 રૂપિયાની બચત: એ જ રીતે, જો કોઈ વ્યક્તિ દર મહિને 10,000 રૂપિયાનું મોટું રોકાણ કરે છે, તો 5 વર્ષની મુદત પૂરી થતાં જ તેને અંદાજે 7.13 લાખ રૂપિયાની મોટી રકમ મળશે.
આ પણ વાંચોઃ SBI અને HDFC પણ ફેઈલ! પોસ્ટ ઓફિસની આ સ્કીમ પર મળી રહ્યું છે સૌથી મોટું વ્યાજ
ટેક્સના આ નિયમો ખાસ જાણી લેજો
ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે પોસ્ટ ઓફિસની બધી જ સ્કીમમાં ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ મળે છે, પણ આરડીના કિસ્સામાં એવું નથી. આ યોજનામાં તમે જે પૈસા જમા કરાવો છો તેના પર ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ કોઈ ટેક્સ કપાતનો લાભ મળતો નથી. આ સિવાય, આ સ્કીમમાંથી મળતું વ્યાજ પણ સંપૂર્ણપણે કરપાત્ર (Taxable) છે, જેને તમારે તમારા આઈટીઆર (ITR) ફાઇલ કરતી વખતે 'અન્ય સ્ત્રોતોમાંથી આવક' (Income from other sources) તરીકે દર્શાવવું પડે છે.
આ બધી શરતો છતાં, જે લોકો શેરબજારની ઉથલપાથલ કે જોખમથી દૂર રહીને પોતાના પૈસા સો ટકા સેફ રાખવા માંગે છે, તેમના માટે આ સ્કીમ બેસ્ટ છે. ખાસ કરીને નોકરીયાત લોકો, ગૃહિણીઓ, નાના વેપારીઓ અને યુવા રોકાણકારો કે જેઓ નિયમિત બચત કરવાની આદત પાડવા માંગે છે, તેમના માટે પોસ્ટ ઓફિસની આ આરડી યોજના સલામત અને સ્થિર વળતર આપતો એક ઉત્તમ પ્લાન છે.
આ પણ વાંચોઃ નિવૃત્ત લોકો માટે બેસ્ટ ઓપ્શન! પોસ્ટ ઓફિસની આ યોજનામાં 5 વર્ષમાં મળશે ₹5.55 લાખનું ફક્ત વ્યાજ
Frequently Asked Questions
પોસ્ટ ઓફિસ RD સ્કીમ શું છે?
પોસ્ટ ઓફિસ RD સ્કીમ પર વર્તમાન વ્યાજ દર કેટલો છે?
એપ્રિલ-જૂન 2026ના ક્વાર્ટર માટે વાર્ષિક 6.7% વ્યાજ મળી રહ્યું છે, જેની ગણતરી દર ત્રણ મહિને ચક્રવૃદ્ધિ વ્યાજ ઉમેરીને થાય છે.
પોસ્ટ ઓફિસ RD ખાતું ખોલાવવા માટે લઘુત્તમ કેટલી રકમથી રોકાણ કરી શકાય છે?
તમે માત્ર 100 રૂપિયાથી પણ પોતાનું ખાતું ખોલાવી શકો છો. તે પછી તમે 10 ના ગુણાંકમાં ગમે તેટલી રકમ દર મહિને જમા કરાવી શકો છો, કારણ કે કોઈ મહત્તમ મર્યાદા નથી.
પોસ્ટ ઓફિસ RD સ્કીમના ટેક્સ નિયમો શું છે?
આ સ્કીમમાં 80C હેઠળ ટેક્સ કપાતનો લાભ મળતો નથી. મળતું વ્યાજ સંપૂર્ણ કરપાત્ર છે અને તેને ITRમાં 'અન્ય સ્ત્રોતોમાંથી આવક' તરીકે દર્શાવવું પડે છે.






















