![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ તારીખ સુધી 20 હજારની લિમિટમાં બેંકોમાં જમા કરી શકશો 2000 રુપિયાની નોટ, જાણો મહત્વની જાણકારી
2000 રૂપિયાની ચલણી નોટ સરકારે પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત કરતા RBIએ કહ્યું કે ક્લીન નોટ પોલિસી હેઠળ RBI એ 2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે.
![આ તારીખ સુધી 20 હજારની લિમિટમાં બેંકોમાં જમા કરી શકશો 2000 રુપિયાની નોટ, જાણો મહત્વની જાણકારી RBI announces to withdraw 2000 rupees notes but continue to remain as legal tender આ તારીખ સુધી 20 હજારની લિમિટમાં બેંકોમાં જમા કરી શકશો 2000 રુપિયાની નોટ, જાણો મહત્વની જાણકારી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/19/b7a9f86f95d6b2caac1159dd85a72b881684504323271333_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
2000 Currency Notes: 2000 રૂપિયાની ચલણી નોટ સરકારે પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત કરતા RBIએ કહ્યું કે ક્લીન નોટ પોલિસી હેઠળ RBI એ 2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. 2000 રૂપિયાની નોટ ચલણમાં ભલે બંધ થઈ જાય પરંતુ 2000 રૂપિયાની નોટ કાયદેસર રીતે માન્ય રહેશે. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકોમાં 2000 રૂપિયાની નોટો બદલી શકાશે.
હવે સવાલ એ ઊભો થાય છે કે આરબીઆઈના આ નિર્ણય બાદ જે લોકો પાસે પહેલાથી જ 2000 રૂપિયાની ચલણી નોટો છે તેમની પાસે શું વિકલ્પ છે.
1. જેમની પાસે 2000 રૂપિયાની નોટ છે, તેઓ આ નોટને બેંક ખાતામાં જમા કરાવી શકે છે અથવા બેંક શાખામાં જઈને અન્ય નોટો દ્વારા બદલી શકે છે.
2. બેંકોમાં રૂ. 2000ની નોટો બદલવા પર કોઈ નિયંત્રણો નહીં હોય. બેંકો આ અંગે અલગથી નિયમો જારી કરશે.
3. 23 મે 2023થી રૂ 2000ની નોટો રૂ 20000ની મર્યાદા સુધી બદલી શકાશે.
4. જેમની પાસે 2000 રૂપિયાની બેંક નોટ છે તેઓ 30 સપ્ટેમ્બર 2023 સુધી 2000 રૂપિયાની નોટ બદલી શકે છે. આરબીઆઈએ આ અંગે બેંકોને અલગથી માર્ગદર્શિકા જારી કરી છે.
જો તમારી પાસે આ નોટો હોય તો તરત શું કરવું જોઈએ?
સરળ જવાબ છે કે, હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી. કારણ કે, આ નોટ બંધ કરવામાં આવી નથી, પરંતુ તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. એટલે કે, આ નોટને તબક્કાવાર રીતે બહાર કાઢવામાં આવશે. પરંતુ એ વાત સાચી છે કે જો તમારી પાસે આ નોટો છે તો તેને આરામથી બેંકમાં પરત કરો અને બીજી નોટો લો.
નોટો બદલવા માટે પૂરો સમય મળશે
જાહેર છે કે, RBIએ એક મોટો નિર્ણય લેતા નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત સાથે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. આ નોટ 8 વર્ષ પછી ચલણમાંથી બહાર થઈ જશે.
RBIએ શું કહ્યું?
30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કોઈપણ બેંક શાખામાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. 23 મેથી કોઈપણ બેંકમાં બદલી અથવા જમા કરાવી શકાશે. એક સમયે 20000 રૂપિયા બદલી અથવા બેંકમાં જમા કરાવી શકાય છે. RBIની 19 શાખાઓમાં પણ નોટો બદલી શકાશે.
RBIની જાહેરાત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા જઈ રહી છે. જો કે, તે લીગલ ટેન્ડર બની રહેશે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. આ નોટ કેટલા પ્રમાણમાં બદલી શકાશે અને કેટલા સમયગાળા દરમિયાન તેને ચલણી રહેશે તેને લઈને પણ સ્પષ્ટીકરણ આપ્યું છે. RBIએ કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટો માન્ય ચલણ (સર્ક્યુલેશન) રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં રૂ. 2000ની નોટો છે તેમણે તેને બેન્કમાંથી એક્સચેન્જ કરાવવી પડશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)