શોધખોળ કરો

બાબા રામદેવની રુચિ સોયામાં આજે રોકાણની તક, 4300 કરોડ રૂપિયાના FPOની પ્રાઇસ બેન્ડ છે 615-650 રૂપિયા, જાણો ખાસ વાતો

કંપનીએ કહ્યું કે તેનો બાકીનો 6-7 ટકા હિસ્સો ડિસેમ્બર 2022 પહેલા વેચવામાં આવશે જેથી 25 ટકા હિસ્સો જાહેર કરવાની સેબીની શરત પૂરી કરી શકાય.

Ruchi Soya FPO: પતંજલિ આયુર્વેદ ગ્રૂપ દ્વારા નિયંત્રિત રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ 24 માર્ચે રૂ. 4,300 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) સાથે ફરીથી એન્ટ્રી મારી રહી છે. આ સાથે, રૂચી સોયા નાદારી પ્રક્રિયામાંથી પસાર થયા પછી બજારમાં ફરીથી સૂચિબદ્ધ થનારી પ્રથમ કંપની બનશે. આ FPO 24મી માર્ચે ખુલશે અને 28મી માર્ચે બંધ થશે.

પ્રાઈસ બેન્ડ રૂ. 615-650 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે

રુચિ સોયાના ચેરમેન આચાર્ય બાલકૃષ્ણ અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બાબા રામદેવની આગેવાની હેઠળના મેનેજમેન્ટે સોમવારે જાહેરાત કરી હતી કે FPO માટે પ્રાઈસ બેન્ડ રૂ. 615-650 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. પતંજલિ, જે હાલમાં રૂચી સોયામાં 98.9 ટકા હિસ્સો ધરાવે છે, તે શેરની ઉપરની રેન્જમાં લગભગ 19 ટકા હિસ્સો વેચશે, જ્યારે આ વેચાણ નીચલા રેન્જમાં લગભગ 18 ટકા હશે.

એફપીઓમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ આ કામોમાં કરવામાં આવશે

કંપનીએ કહ્યું કે તેનો બાકીનો 6-7 ટકા હિસ્સો ડિસેમ્બર 2022 પહેલા વેચવામાં આવશે જેથી 25 ટકા હિસ્સો જાહેર કરવાની સેબીની શરત પૂરી કરી શકાય. રામદેવે જણાવ્યું હતું કે રુચિ સોયા આ હિસ્સાના વેચાણમાંથી એકત્ર કરાયેલી રકમમાંથી રૂ. 3,300 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા અને બાકીની અન્ય કંપનીની કામગીરી માટે કરશે. રુચિ સોયાના અધિગ્રહણથી, પતંજલિએ તેને કોમોડિટીના વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીને બદલે બ્રાન્ડેડ કંપની તરીકે રજૂ કરી છે. આ ઉપરાંત, તે તેના તમામ ખાદ્ય ઉત્પાદનો અને બિન-ખાદ્ય ઉત્પાદનોને અલગ-અલગ શ્રેણીઓમાં લોન્ચ કરવાની પ્રક્રિયામાં છે. બાબા રામદેવે કહ્યું કે રુચિ અને પતંજલિ બંનેને વૈશ્વિક ફૂડ બ્રાન્ડ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

કંપનીના FPO વિશે જાણો

કંપનીને ગયા વર્ષે ઓગસ્ટમાં એફપીઓ લાવવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી મળી હતી. રુચિ સોનાએ જૂન 2021માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યો હતો.

બાબા રામદેવની પ્રેસ કોન્ફરન્સ

આજે રુચિ સોયાના એફપીઓના ઉદઘાટન પ્રસંગે યોગ ગુરુ બાબા રામદેવની પ્રેસ કોન્ફરન્સ હતી જેમાં તેમણે કહ્યું કે યોગ દ્વારા સ્વાસ્થ્ય આપ્યા બાદ હવે સંપત્તિ આપવાની વાત છે. 45 વર્ષ પહેલા અમે યોગના માર્ગ પર ચાલ્યા હતા અને આજે આ FPO ની શરૂઆત સાથે પતંજલિ પરિવાર માટે એક મોટો દિવસ છે. આના દ્વારા ભારતીય બ્રાન્ડને વૈશ્વિક બનાવવાનું લક્ષ્ય છે અને દેશને રોગમુક્ત બનાવવાનું અમારું સ્વપ્ન છે. મારું સ્વપ્ન દેશને રોગમુક્ત બનાવવાનું છે. બાબા રામદેવે એમ પણ કહ્યું કે ધીરજ સાથે રોકાણ કરવું જરૂરી છે.

રૂચી સોયા એફપીઓની મોટી બાબતો

FPO ની તારીખ - 24 માર્ચ થી 28 માર્ચ 2022

ન્યૂનતમ રોકાણ - 12915 રૂપિયા

પ્રાઇસ બેન્ડ - રૂ. 615-650

લોટ સાઈઝ - 21

ઈશ્યુનું કદ - 4300 કરોડ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.