શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

કોરોના સામે લડવા તૈયાર FMCG કંપનીઓ, સસ્તી થઇ તમારી જરૂરિયાતની ચીજવસ્તુઓ

દેશની એફએમસીજી કંપનીઓએ તમારી જરૂરિયાતની અનેક ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કર્યો છે. જેમાં હિંદુસ્તાન યુનિલીવર, ગોદરેજ કન્ઝ્યૂમર અને પતંજલિ જેવી એફએમસીજી કંપનીઓ સામેલ છે.

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસ વિરુદ્ધ યુદ્ધ ચાલી રહ્યું છે. ભારતમાં પણ કોરોના વાયરસનો સામનો કરવા માટે તમામ ઉપાયો કરવામાં આવી રહ્યા છે. આ હેઠળ દેશની એફએમસીજી કંપનીઓએ તમારી જરૂરિયાતની અનેક ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કર્યો છે. જેમાં હિંદુસ્તાન યુનિલીવર,  ગોદરેજ કન્ઝ્યૂમર અને પતંજલિ જેવી એફએમસીજી કંપનીઓ સામેલ છે. હિંદુસ્તાન યૂનિલીવરે એક નિવેદનમાં કહ્યું હતું કે કંપની સાર્વજનિક હિતમાં લાઇફબોય સેનિટાઇઝર, લાઇફબોય લિક્વિડ હેન્ડવોશ અને ડોમેક્સ ફ્લોર ક્લીનરની કિંમતમાં 15 ટકા ઘટાડો કરવા જઇ રહી છે. કંપનીએ કહ્યું કે, અમે ઘટેલી કિંમતોની પ્રોડક્ટનું ઉત્પાદન તરત કરવા  જઇ રહ્યા છીએ. આગામી કેટલાક સપ્તાહથી આ બજારમાં ઉપલબ્ધ થશે. કંપનીએ કહ્યું કે, તે આગામી કેટલાક મહિનામાં બે કરોડ લાઇફબોય સાબુનું વિતરણ કરશે. કંપનીના ચેરમેન સંજીવ મહેતાએ કહ્યું કે, આ પ્રકારના સંકટમાં કંપનીઓએ મોટી ભૂમિકા નિભાવવાની છે. તેમણે કહ્યું કે, અમે સરકારો અને પોતાના ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ જેથી આપણે સાથે મળીને આ વૈશ્વિક સંકટનો સામનો કરી શકીએ. આ રીતે યોગગુરુ રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે પણ એલોવીરા અને હળદર-ચંદન સાબુની કિંમતમાં 12.5 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીના પ્રવક્તા એસ.કે. તિજારાવાલાએ કહ્યું કે, સ્વામી રામદેવે સામાન્ય લોકોની સમસ્યાઓને જોતા કોરોના વાયરસના યુદ્ધમાં તેમની મદદ કરવા કિંમતો ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ગોદરેજ કંપનીએ પણ કહ્યું કે, તેમણે કાચી સામગ્રીઓની કિંમતમાં થયેલા વધારાનો બોજ ગ્રાહકો પર ન નાખવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે કોરોના વાયરસના સંકટમાં લોકો ગભરાઇને સાફ-સફાઇ સાથે જોડાયેલા સામાનની ખરીદી કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget