શોધખોળ કરો

Sukanya Samriddhi Yojana: આવા સુકન્યા એકાઉન્ટ સરકાર કરી દેશે બંધ, નાણાં મંત્રાલયે બદલ્યા નિયમો

Sukanya Account: નાણાં મંત્રાલયે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સહિત તમામ સ્મોલ સેવિંગ્સ એકાઉન્ટના નિયમોમાં ફેરફાર કર્યો છે. તમામ પોસ્ટ ઓફિસને કહેવામાં આવ્યું છે કે તેઓ નવા નિયમોનું તરત પાલન કરે.

Sukanya Account: ભારત સરકારે દીકરીઓના હિતમાં સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) શરૂ કરી હતી. આ અદ્ભુત યોજના દીકરીઓની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હતી. હવે નાણાં મંત્રાલયે (Finance Ministry) આ યોજના સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર કર્યો છે. સાથે જ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ (Department of Economic Affairs) એ નવી માર્ગદર્શિકા જારી કરતાં તમામ પોસ્ટ ઓફિસ (Post Office) ને અપીલ કરી છે કે તેઓ નવા નિર્દેશો અનુસાર કામ કરે.

બે સુકન્યા એકાઉન્ટ હોવા પર બંધ કરી દેવામાં આવશે

નાણાં મંત્રાલય અનુસાર, તમામ સ્મોલ સેવિંગ્સ એકાઉન્ટ (Small Savings Accounts) પર નવા નિયમો લાગુ થશે. આવી સ્થિતિમાં સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ (Sukanya Samriddhi Account) સાથે જોડાયેલા રોકાણકારોએ પણ આ વિશે જાણી લેવું જોઈએ. નવી માર્ગદર્શિકા અનુસાર, દાદા દાદી અથવા નાના નાની દ્વારા ખોલવામાં આવેલા સુકન્યા એકાઉન્ટને હવે કાં તો માતા પિતા અથવા કોઈ કાનૂની વાલીને ટ્રાન્સફર કરવું પડશે. જો બે સુકન્યા એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે તો તેમને બંધ કરી દેવામાં આવશે. આવા એકાઉન્ટને નિયમ વિરુદ્ધ માનવામાં આવશે.

પાન અને આધાર કાર્ડ જોડવું આવશ્યક બનશે

નાણાં મંત્રાલયે કહ્યું છે કે તમામ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં માતા પિતા અથવા વાલીનું પાન (PAN) અને આધાર કાર્ડ (Aadhaar) જોડાયેલું હોવું જોઈએ. જો આવું નથી તો તાત્કાલિક તેમની પાસેથી પાન અને આધાર નંબર માંગવામાં આવે. તમામ પોસ્ટ ઓફિસને કહેવામાં આવ્યું છે કે તેઓ તાત્કાલિક તમામ એકાઉન્ટ હોલ્ડર્સને નવા નિયમોની જાણકારી આપે. સર્ક્યુલર અનુસાર, અનિયમિત એકાઉન્ટને નિયમિત કરવાની શક્તિ માત્ર નાણાં મંત્રાલય પાસે છે. આવી સ્થિતિમાં તમામ અનિયમિત એકાઉન્ટની જાણકારી તેમને આપવામાં આવે.

સુકન્યા એકાઉન્ટ પર આપવામાં આવી રહ્યું છે 8.2 ટકા વ્યાજ

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે 250 રૂપિયા મહિનાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધી વાર્ષિક જમા કરાવી શકો છો. આ ત્રિમાસિકમાં સુકન્યા એકાઉન્ટ પર 8.2 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ એકાઉન્ટ દીકરીના 21 વર્ષના થવા પર પરિપક્વ થાય છે. આ ઉપરાંત આ એકાઉન્ટમાંથી દીકરીના 18 વર્ષના થવા પર 50 ટકા રકમ ઉપાડી શકાય છે. આ એકાઉન્ટ ખોલવા માટે તમારે દીકરીનું જન્મ પ્રમાણપત્ર આપવું આવશ્યક હોય છે. સાથે જ માતા પિતા અથવા વાલીનું પાન અને આધાર કાર્ડ પણ આપવું પડે છે.

આ પણ વાંચોઃ

ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Monkeypox:  દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Monkeypox: દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સદસ્યતા અભિયાનમાં આ તો કેવી ગોઠવણ?Hun To Bolish | હું તો બોલીશ | દેશમાં ચૂંટણીઓ એક સાથે, ફાયદો કોને? નુકસાન કોને?BJP Membership Drive | હવે મહેસાણામાં ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ, હોસ્પિટલના સ્ટાફ સામે લાગ્યો આરોપNavsari Rain | ગણદેવી અને બિલીમોરા તાલુકામાં ભારે વરસાદ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Monkeypox:  દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Monkeypox: દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Vinesh Phogat: જે વિનેશ ફોગાટને મળી હતી કરોડોની ઓફર, તેનું કોંગ્રેસમાં જોડાવાનું સાચું કારણ હવે આવ્યું સામે
Vinesh Phogat: જે વિનેશ ફોગાટને મળી હતી કરોડોની ઓફર, તેનું કોંગ્રેસમાં જોડાવાનું સાચું કારણ હવે આવ્યું સામે
Blood Group:  વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું નવું બ્લડ ગ્રુપ, જાણો ભવિષ્યમાં તેનાથી શું ફાયદા થશે
Blood Group: વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું નવું બ્લડ ગ્રુપ, જાણો ભવિષ્યમાં તેનાથી શું ફાયદા થશે
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
Rajput Samaj: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગ સાથે રાજપૂત સમાજનું મહાસંમેલન
Rajput Samaj: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગ સાથે રાજપૂત સમાજનું મહાસંમેલન
Embed widget