![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vistara Airlines: વિસ્તારાની 70થી વધુ ઉડાણો થઇ શકે છે રદ્દ, DGCAએ એરલાઇન્સ પાસે માંગ્યો રિપોર્ટ
Vistara Airlines: DGCA એ વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ કરવાના મામલાને ખૂબ ગંભીરતાથી લીધો છે
![Vistara Airlines: વિસ્તારાની 70થી વધુ ઉડાણો થઇ શકે છે રદ્દ, DGCAએ એરલાઇન્સ પાસે માંગ્યો રિપોર્ટ Vistara may cancel 70 flights today, DGCA asks airline for daily report on delays Vistara Airlines: વિસ્તારાની 70થી વધુ ઉડાણો થઇ શકે છે રદ્દ, DGCAએ એરલાઇન્સ પાસે માંગ્યો રિપોર્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/08/55542a324cf54a4a6301d8f4ff912ea01694184258490798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vistara Airlines: નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના રેગ્યુલેટર DGCA એ વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ કરવાના મામલાને ખૂબ ગંભીરતાથી લીધો છે. રેગ્યુલેટરે એરલાઈન્સને રદ થયેલી ફ્લાઈટ્સની વિગતો આપવા જણાવ્યું છે. નિયમનકારે વિસ્તારાને દૈનિક ધોરણે રદ કરાયેલી ફ્લાઇટની સાથે ફ્લાઇટમાં વિલંબનો રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે. ક્રૂની ઉપલબ્ધતાના અભાવને કારણે વિસ્તારાને છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી છે અને ઘણી ફ્લાઇટ્સ ટેકઓફ કરવામાં વિલંબ થયો છે.
ડીજીસીએની સૂચના
DGCA એ વિસ્તારા એરલાઈન્સને પણ આદેશ આપ્યો છે કે મુસાફરોને બોર્ડિંગ ન કરવા, ફ્લાઈટ્સ કેન્સલ કરવા અને ફ્લાઈટ્સમાં વિલંબના કિસ્સામાં યાત્રીઓને નિયમો અનુસાર તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે. જેમાં એડવાન્સ માહિતી અને રિફંડનો વિકલ્પ સામેલ છે. અગાઉ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ આશરે 100 ફ્લાઇટ્સ રદ થયા બાદ વિસ્તારા પાસેથી સ્પષ્ટતા માંગી હતી. મંત્રાલય વિસ્તારાની ફ્લાઈટ્સ કેન્સલ થવાથી ઉભી થયેલી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. 1 એપ્રિલના રોજ વિસ્તારાએ લગભગ 50 ફ્લાઇટ્સ રદ કરી હતી અને એવું માનવામાં આવે છે કે મંગળવાર, 2 એપ્રિલે પણ લગભગ 60 થી 70 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી શકે છે.
વિસ્તારાની સ્પષ્ટતા
ટાટા ગ્રુપની વિસ્તારા એરલાઈન્સના મુસાફરોને ફ્લાઈટ્સ કેન્સલ થવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો લોકો પણ સોશિયલ મીડિયા પર લખીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. સોમવારે એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઓપરેશનલ કારણોસર વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અથવા ફ્લાઇટ્સમાં વિલંબ થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે એરલાઈન્સ પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
વિસ્તારાએ ફ્લાઈટ્સની સંખ્યામાં પણ ઘટાડો કર્યો છે જેથી નેટવર્કમાં પર્યાપ્ત કનેક્ટિવિટી સુનિશ્ચિત કરી શકાય. વિસ્તારાએ સ્થાનિક રૂટ પર B787-9 ડ્રીમલાઇનર અને A321neo જેવા મોટા એરક્રાફ્ટ પણ તૈનાત કર્યા છે જેથી વધુ સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી શકે.
ફ્લાઈટ્સ કેમ રદ થઈ રહી છે?
વિસ્તારાને ક્રૂ મેમ્બર્સની સાથે પાઈલટની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ લોકો એર ઈન્ડિયા સાથે મર્જર બાદ નવા કોન્ટ્રાક્ટનો વિરોધ કરી રહ્યા છે. જેના કારણે આ સંકટ સર્જાયું છે. વિસ્તારાના પાઇલટ્સ મોટી સંખ્યામાં રજા પર ઉતરી ગયા છે. એર ઈન્ડિયા સાથે મર્જર પહેલા પગારના માળખામાં ફેરફાર અંગે વિસ્તારામાં પાઈલટ્સને આપવામાં આવેલા નવા કોન્ટ્રાક્ટથી પાઈલટ ખુશ નથી. નવા નિયમ હેઠળ, વિસ્તારાના પાઇલટ્સને 40 કલાકની ઉડાન માટે ફિક્સ પગાર આપવાનો પ્રસ્તાવ છે જે અગાઉ 70 કલાકનો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)