શોધખોળ કરો

Income tax: 31 જાન્યુઆરી સુધી કરી શકશો ટેક્સ સંબંધિત આ જરૂરી કામ, સરકારે વધારી ડેડલાઇન

Vivad Se Vishwas Scheme:દરમિયાન કરદાતાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. આવકવેરા વિભાગે છેલ્લી ક્ષણે ‘વિવાદ સે વિશ્વાસ યોજના’ની સમયમર્યાદા વધારી દીધી છે

Vivad Se Vishwas Scheme: આજે વર્ષ 2024નો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી નવું વર્ષ (New Year 2025)  શરૂ થવા જઈ રહ્યું છે, આ દરમિયાન કરદાતાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. આવકવેરા વિભાગે છેલ્લી ક્ષણે ‘વિવાદ સે વિશ્વાસ યોજના’ની સમયમર્યાદા વધારી દીધી છે. અગાઉ આ યોજનાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી જે હવે 31મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. આનો અર્થ એ છે કે વધુ એક મહિના માટે કરદાતાઓ તેમના વિવાદિત કરને ઓછી રકમ સાથે પતાવટ કરી શકે છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રીએ મોદી 3.0 ના પહેલા બજેટમાં કરી હતી. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

એક મહિનો લંબાવી ડેડલાઇન

આવકવેરા વિભાગે (Income Tax Department) કરદાતાઓના વિવાદિત કર મુદ્દાઓનું સમાધાન કરવા માટે વિવાદ સે વિશ્વાસ યોજના શરૂ કરી હતી, જેમાં આવકવેરાના વિવાદોથી પરેશાન કરદાતાઓ ઓછી રકમ ચૂકવીને તેને પૂર્ણ કરી શકે છે. આ યોજનાની સમયમર્યાદા પણ 31મી ડિસેમ્બર 2024 એટલે કે આજે પૂરી થવા જઈ રહી હતી. પરંતુ આવકવેરા વિભાગે સોમવારે જ આ અંગે એક નોટિફિકેશન બહાર પાડીને તેની સમયમર્યાદા 1 મહિનો વધારવાની જાહેરાત કરી હતી. જો તમે આ સ્કીમનો લાભ લઈને ટેક્સ વિવાદનું સમાધાન કરવા માંગો છો તો હવે તમારી પાસે 31 જાન્યુઆરી, 2025 સુધીનો સમય છે.

સેન્ટ્રલ કમિશન ઑફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે CBDTએ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે હવે વિવાદ સે વિશ્વાસ સ્કીમનો લાભ આવતા વર્ષે પણ મળશે અને વિવાદિત ટેક્સનું સમાધાન 31 જાન્યુઆરી સુધી કરી શકાશે. તે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો કરદાતાઓ નવી સમયમર્યાદા સુધીમાં તેમના વિવાદોનું નિરાકરણ લાવવામાં સક્ષમ નહી બને તો આવી સ્થિતિમાં, 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ અથવા તે પછી કરવામાં આવેલી ઘોષણાઓ માટે વિવાદિત કર માંગના 110 ટકા ચૂકવવા પડશે.

આ કરદાતાઓને યોજનાનો લાભ મળશે

વિવાદ સે વિશ્વાસ યોજનાનો લાભ એવા કરદાતાઓને મળશે જેમની ફરિયાદ કર સંબંધિત વિવાદિત કેસના સંબંધમાં દાખલ કરવામાં આવી છે. જે કરદાતાઓએ 22 જુલાઈ, 2024 સુધીમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અથવા ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરી છે અથવા ટેક્સ અધિકારીઓ વતી અપીલ કરી છે, તો તેમને આ હેઠળ ઓછી રકમ ચૂકવીને ટેક્સ સેટલમેન્ટનો લાભ મળશે.

સરકારને આશા છે કે આ સ્કીમથી લગભગ 2.7 કરોડ ડાયરેક્ટ ટેક્સ ડિમાન્ડનો ઉકેલ આવશે, જેની કુલ રકમ લગભગ 35 લાખ કરોડ રૂપિયા થશે. આ કેસોનો ઝડપથી નિકાલ કરવા માટે શરૂ કરાયેલી આવકવેરા વિભાગની આ યોજના હેઠળ ચાર પ્રકારના ફોર્મ જાહેર કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget