શોધખોળ કરો

Income tax: 31 જાન્યુઆરી સુધી કરી શકશો ટેક્સ સંબંધિત આ જરૂરી કામ, સરકારે વધારી ડેડલાઇન

Vivad Se Vishwas Scheme:દરમિયાન કરદાતાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. આવકવેરા વિભાગે છેલ્લી ક્ષણે ‘વિવાદ સે વિશ્વાસ યોજના’ની સમયમર્યાદા વધારી દીધી છે

Vivad Se Vishwas Scheme: આજે વર્ષ 2024નો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી નવું વર્ષ (New Year 2025)  શરૂ થવા જઈ રહ્યું છે, આ દરમિયાન કરદાતાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. આવકવેરા વિભાગે છેલ્લી ક્ષણે ‘વિવાદ સે વિશ્વાસ યોજના’ની સમયમર્યાદા વધારી દીધી છે. અગાઉ આ યોજનાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી જે હવે 31મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. આનો અર્થ એ છે કે વધુ એક મહિના માટે કરદાતાઓ તેમના વિવાદિત કરને ઓછી રકમ સાથે પતાવટ કરી શકે છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રીએ મોદી 3.0 ના પહેલા બજેટમાં કરી હતી. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

એક મહિનો લંબાવી ડેડલાઇન

આવકવેરા વિભાગે (Income Tax Department) કરદાતાઓના વિવાદિત કર મુદ્દાઓનું સમાધાન કરવા માટે વિવાદ સે વિશ્વાસ યોજના શરૂ કરી હતી, જેમાં આવકવેરાના વિવાદોથી પરેશાન કરદાતાઓ ઓછી રકમ ચૂકવીને તેને પૂર્ણ કરી શકે છે. આ યોજનાની સમયમર્યાદા પણ 31મી ડિસેમ્બર 2024 એટલે કે આજે પૂરી થવા જઈ રહી હતી. પરંતુ આવકવેરા વિભાગે સોમવારે જ આ અંગે એક નોટિફિકેશન બહાર પાડીને તેની સમયમર્યાદા 1 મહિનો વધારવાની જાહેરાત કરી હતી. જો તમે આ સ્કીમનો લાભ લઈને ટેક્સ વિવાદનું સમાધાન કરવા માંગો છો તો હવે તમારી પાસે 31 જાન્યુઆરી, 2025 સુધીનો સમય છે.

સેન્ટ્રલ કમિશન ઑફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે CBDTએ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે હવે વિવાદ સે વિશ્વાસ સ્કીમનો લાભ આવતા વર્ષે પણ મળશે અને વિવાદિત ટેક્સનું સમાધાન 31 જાન્યુઆરી સુધી કરી શકાશે. તે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો કરદાતાઓ નવી સમયમર્યાદા સુધીમાં તેમના વિવાદોનું નિરાકરણ લાવવામાં સક્ષમ નહી બને તો આવી સ્થિતિમાં, 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ અથવા તે પછી કરવામાં આવેલી ઘોષણાઓ માટે વિવાદિત કર માંગના 110 ટકા ચૂકવવા પડશે.

આ કરદાતાઓને યોજનાનો લાભ મળશે

વિવાદ સે વિશ્વાસ યોજનાનો લાભ એવા કરદાતાઓને મળશે જેમની ફરિયાદ કર સંબંધિત વિવાદિત કેસના સંબંધમાં દાખલ કરવામાં આવી છે. જે કરદાતાઓએ 22 જુલાઈ, 2024 સુધીમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અથવા ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરી છે અથવા ટેક્સ અધિકારીઓ વતી અપીલ કરી છે, તો તેમને આ હેઠળ ઓછી રકમ ચૂકવીને ટેક્સ સેટલમેન્ટનો લાભ મળશે.

સરકારને આશા છે કે આ સ્કીમથી લગભગ 2.7 કરોડ ડાયરેક્ટ ટેક્સ ડિમાન્ડનો ઉકેલ આવશે, જેની કુલ રકમ લગભગ 35 લાખ કરોડ રૂપિયા થશે. આ કેસોનો ઝડપથી નિકાલ કરવા માટે શરૂ કરાયેલી આવકવેરા વિભાગની આ યોજના હેઠળ ચાર પ્રકારના ફોર્મ જાહેર કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Embed widget